
કારણ એ છે કે, ભારતના Nature Made પોર્ટના સમુદ્રની ઉંડાઈ 18 મીટરથી ઓછી છે.જ્યારે Mother Vessels(મોટા જહાજો)ને પોર્ટ પર ઉભા રહેવા માટે 18 મીટરથી વધારેની ઊંડાઈજોઈએ છે.સિંગાપુર,દુબઈ અને શ્રીલંકાની પાસે પણ Man Made પોર્ટ જ છે. જેની ઉંડાઈ 18 મીટરથી વધારે છે પરંતુ ભારતની પાસે એક પણ Man Made Port ન હતો.

અદાણીએ કેરળ આ પોર્ટ બનાવીને હવે સિંગાપોર,શ્રીલંકા અને દુબઈ જનારા 75% વ્યવસાયાને સીધો અદાણી પોર્ટસ કંપનીને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે અને નફાનો લાભ ભારતને થશે.ભારતના ખરીદદારો અને શેરધારકોને ફાયદો થશે.આવનારા સમયમાં આ પોર્ટ પર વર્ષના 2 લાખ કરોડ રુપિયાની રેવેન્યુ જનરેટ થશે.ટુંકમાં આ કંપનીના શેરહોલ્ડરોને લોટરી લાગશે.

જિઓ પોલિટિકલ નજરથી પણ Vizhinjam પોર્ટ ભારત માટે ગેમચેન્જનું કામ કરી શકે છે. એ જાણવું જરુરી છે કે, અત્યારસુધી ભારત Mother Vesselsને પહેલા કે પછી શ્રીલંકા ,દુબઈ કે પછી સિંગાપોર રોકે છે. ત્યારબાદ ત્યાંથી નાના -નાના જહાજોમાં શિફટ કરી ભારત લાવે છે.

દુનિયા જાણે છે કે, ભારત માટે ચીન એક મોટો ખતરો છે અને શ્રીલંકામાં ચીનનો પ્રભાવ છેલ્લા કેટલાક વર્ષોમાં લોન ટ્રેપના કારણે વધ્યો છે.જો યુદ્ધની પરિસ્થિતમાં ચીનના દબાવમાં આવી શ્રીલંકા ભારતને પોતાનો આ પોર્ટ ઉપયોગ કરતા રોકે છે, તો ભારત માટે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે

પરંતુ Vizhinjam પોર્ટ બની જવાથી હવે આ સમસ્યાનું પણ સમાધાન નીકળ્યું છે. એટલે કે, ભવિષ્યમાં ચીન સાથે થનારા યુદ્ધ સાથે જોડાયેલી એક મુશ્કેલીનું સમાધાન તો અદાણીના આ નવા પોર્ટે દુર કર્યું છે.