
કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા બોર્ડના અન્ય સભ્યએ આશંકા વ્યક્ત કરી હતી કે, આ વર્ષે વ્યાજ દર ઘટી શકે છે, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ પેનલે કટોકટી જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સરપ્લસ જાળવી રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ સિવાય ઉચ્ચ દાવાની પતાવટથી વાર્ષિક EPF ક્રેડિટ માટે ઓછો પૂલ બાકી રહ્યો છે. જાન્યુઆરી સુધીમાં, EPFOએ 2024-25માં રૂ. 2.05 ટ્રિલિયનના 5.08 મિલિયનથી વધુ દાવાઓ પર પ્રક્રિયા કરી છે. જ્યારે 2023-24માં રૂ. 1.82 ટ્રિલિયનના 44.5 મિલિયનથી વધુ દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું હતું.

EPF દર ઉપરાંત, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ટ્રસ્ટી મંડળ વર્તમાન એક્ચ્યુરિયલ વેલ્યુએશનના આધારે એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ સભ્યોના આશ્રિત પરિવારના સભ્યોને આપવામાં આવતા લાભોમાં વધારા અંગે પણ ચર્ચા કરશે.

બોર્ડ સભ્યોને ઉચ્ચ પેન્શન આપવાના મુદ્દા પર પણ ચર્ચા કરશે અને તાજેતરમાં શરૂ કરવામાં આવેલી કેન્દ્રીયકૃત પેન્શન ચુકવણી સિસ્ટમ પર સ્ટેટસ નોટની સમીક્ષા કરશે, જે સમગ્ર ભારતમાં કોઈપણ બેંકની કોઈપણ શાખા દ્વારા પેન્શનનું વિતરણ કરવાની મંજૂરી આપે છે.
