
આજના સમયમાં નકલી નોટોનું ચલણ વધ્યું છે, તેનાથી બચવા માટે અસલી અને નકલી નોટોની ઓળખ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 500 રૂપિયાની નોટને ઓળખવા માટે 17 મુખ્ય ચિન્હ સૂચવ્યા છે. અહીં અમે તમને સરળતાથી દેખાતા ચિન્હ વિશે જણાવી રહ્યા છીએ.

જ્યારે નોટને પ્રકાશ તરફ ઉંચી કરવામાં આવે છે, ત્યારે 500 લખેલા શબ્દો દેખાય છે. 45 ડિગ્રીના ખૂણા પર જોવામાં આવે તો પણ 500 નંબર દેખાશે. 500 દેવનાગરી લિપિમાં લખાયેલ છે.

જ્યારે નોટ ફોલ્ડ કરવામાં આવે છે, ત્યારે સિક્યોરિટી થ્રેડનો રંગ લીલાથી વાદળી થઈ જાય છે. ગવર્નરની સહી અને RBIનો લોગો જમણી બાજુએ છે. વોટરમાર્ક પર ગાંધીજીનું ચિત્ર અને 500 અંક દેખાય છે. સંખ્યાઓ ડાબેથી જમણે વધે છે. 500 નો રંગ લીલાથી વાદળીમાં બદલાય છે. તેના પર સ્વચ્છ ભારતનો લોગો અને સૂત્ર છપાયેલું છે. લાલ કિલ્લા અને ભારતીય ધ્વજનું ચિત્ર છે.
Published On - 2:39 pm, Sun, 12 January 25