એક રસ્તો એવો પણ છે, જ્યાંથી મળે છે હાડકા અને હાડપિંજર, રોડ બનાવવામાં 10 લાખ લોકો માર્યા ગયા હતા

|

Mar 14, 2021 | 10:08 AM

આ રસ્તો રશિયાના (Russia) બાહ્ય પૂર્વીય ક્ષેત્રનો એક હાઇવે છે. તેનું નામ કોલાયામા હાઇવે છે, જે 2,025 કિલોમીટર લાંબો છે.

એક રસ્તો એવો પણ છે, જ્યાંથી મળે છે હાડકા અને હાડપિંજર, રોડ બનાવવામાં 10 લાખ લોકો માર્યા ગયા હતા

Follow us on

સામાન્ય રીતે રસ્તો બનાવવા માટે કપચી અને ડામર કે સિમેન્ટ અને ઈંટ- પથ્થરનો ઉપયોગ થાય છે. પરંતુ જો તમને ખબર પડે કે એક રસ્તો બનાવવા માટે હાડકાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો તમે તેને માનશો ? તમને આ જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આ એકદમ સાચું છે. હાડકાંના ઉપયોગને લીધે, આ માર્ગને ‘હાડકાઓના માર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે.

આ રસ્તો રશિયાના (Russia) બાહ્ય પૂર્વીય ક્ષેત્રનો એક હાઇવે છે. તેનું નામ કોલાયામા હાઇવે છે, જે 2,025 કિલોમીટર લાંબો છે. આ હાઈવે પર માનવ હાડકાં અને હાડપિંજર વારંવાર જોવા મળે છે. ‘હાડકાઓનો માર્ગ’ તરીકે ઓળખાતા આ હાઇવેની વાર્તા ડરાવી દેનાર છે. શિયાળામાં આ વિસ્તારના રસ્તાઓ બરફથી ઢંકાયેલા હોય છે. બરફના કારણે વાહનો રસ્તા પર લપસી પડતા નથી, તેથી રસ્તો બનાવતી વખતે માનવ હાડકાં પણ રેતીમાં ભળી ગયા હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

તેને બનાવવા માટે 1 મિલિયન લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

આ હાઇવેનું નિર્માણ સોવિયત યુનિયનના તાનાશાહ જોસેફ સ્ટાલિનના સમયમાં કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે તેને બનાવવામાં બે થી 10 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ખરેખર, જ્યારે આ હાઇવેનું બાંધકામ 1930માં શરૂ થયું ત્યારે મજૂરો અને કેદીઓ આ કામમાં રોકાયેલા હતા. જેમને કોલયમા શિબિરમાં બંધક બનાવ્યા હતા.

જે કોઈ કેદી એકવાર કોલયમા કેમ્પમાં જતો રહે છે પછી ત્યાંથી પાછા ફરવું અશક્ય હતુ જે લોકોએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો તે કાં તો રીંછનો શિકાર બન્યા અથવા તીવ્ર શરદી અને ભૂખથી મરી ગયા. મૃત્યુ પામેલા કેદીઓને રસ્તાની અંદર દફનાવવામાં આવ્યા હતા. આને કારણે, અહીં હંમેશાં મનુષ્યના હાડકાં જોવા મળે છે અને આ માર્ગને ‘હાડકાંનો માર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે.

Next Article