જો તમને સવારે ઉઠીને બ્રશ કર્યાં વગર પાણી પીવાની ટેવ છે તો…

|

Nov 29, 2018 | 9:13 AM

આપણા સૌ માટે પાણી ખૂબ જરૂરી તત્વ છે. આપણે ખાધા વિના એક દિવસ રહી શકીએ છીએ પરંતુ પાણી વગર એક દિવસ પણ કાઢવો ઘણો મુશ્કેલ બની જાય છે. એવામાં વાત કરીએ સવાર સવારમાં બ્રશ કર્યાં વગર પાણી પીનારા લોકોની. કેટલાંયે લોકો એવા છે જે સવારે ઉઠીને જ વાસી મોંઢે પાણી પીવે છે પરંતુ એમને નથી […]

જો તમને સવારે ઉઠીને બ્રશ કર્યાં વગર પાણી પીવાની ટેવ છે તો...
Benefits of Drinking Water on an Empty Stomach

Follow us on

આપણા સૌ માટે પાણી ખૂબ જરૂરી તત્વ છે. આપણે ખાધા વિના એક દિવસ રહી શકીએ છીએ પરંતુ પાણી વગર એક દિવસ પણ કાઢવો ઘણો મુશ્કેલ બની જાય છે. એવામાં વાત કરીએ સવાર સવારમાં બ્રશ કર્યાં વગર પાણી પીનારા લોકોની.

Water is the best beauty secret

કેટલાંયે લોકો એવા છે જે સવારે ઉઠીને જ વાસી મોંઢે પાણી પીવે છે પરંતુ એમને નથી ખબર કે આમ કરવાથી શું થઈ શકે છે? જ્યારે પણ તેમને કોઈ આ ટેવ કે તથ્ય વિશે વાત કરે તો કહી દેશે કે ભાઈ, પેટ માટે સારું છે એટલે વાસી મોંઢે પાણી પીએ છીએ. પરંતુ કેવી રીતે અને પેટ માટે શું કામ કરે છે એ વાત કહેવાની આવે તો ભાગ્યે કોઈની પાસે તેનો જવાબ હોય છે. તો જે લોકો સવારે ઉઠીને બ્રશ કર્યા વગર જ પાણી પીવે છે અને ખાસ કરીને જે લોકો પાણી નથી પીતા તેમને કહીએ કે સવારે વાસી મોંઢે પાણી પીવાથી શું થાય છે.

 સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવાના ફાયદા:

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
  • સવારે ઉઠીને વાસી મોંઢે પાણી જરૂરથી પીવું જોઈએ કારણ કે તે સમયે આપણાં મોંઢામાં જે લાળ બને છે તે એન્ટિબાયોટિકનું કામ કરે છે અને તે આપણા પેટમાં જાય તે ઘણું આવશ્યક હોય છે. એવામાં પાણી સાથે મળીને તે લાળ આપણાં શરીરમાં પહોંચે છે અને આપણા માટે એન્ટિબોડીઝ તૈયાર કરે છે.

  • વાસી મોંઢે પાણી પીવાથી આપણું પાચનતંત્ર મજબૂત બને છે અને પેટની ઘણી બીમારીઓથી બચાવે છે. આટલું જ નહીં, જો પેટમાં કરમિયાની ફરિયાદ હોય તો તે પણ દૂર થઈ જાય છે.

  • વાસી મોંઢે પાણી પીવાથી આપણી કોષિકાઓને ઓક્સિજન મળે છે જેનાથી ત્વચામાં તાજગી અને નરમાશ રહે છે. એટલું જ નહીં, વાળ માટે પણ તે ફાયદાકારક સાબિત થાય છે.

  •  જે લોકો સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવે છે તેમને કબજિયાતની તકલીફ નથી રહેતી. સવારે પેટ સાફ થઈ જવાથી તમે દિવસભર જે પણ ખાઓ તેનો ભરપૂર ફાયદો મળે છે. અને કબજિયાત ન રહેવાથી અન્ય કોઈ રોગથી પણ બચી શકો છો.

  • સવારે ઉઠીને તરત પાણી પીવાથી ગળા, માસિક ધર્મ, આંખો તેમજ કિડની સંબંધિત ઘણી સમસ્યાઓ શરીરથી દૂર રહે છે.

[yop_poll id=36]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 9:26 am, Sat, 24 November 18

Next Article