AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે જાણો છો શરીરના અંગો પર તલ હોવાનો શું અર્થ? આ અંગ પર તલ ધરાવતા લોકો હોય છે અમીર

માણસના શરીરના કયા અંગ પર તલ છે તેના પરથી તેના સ્વભાવ વિશે કહી શકાય છે. ચાલો તમને જણાવીએ કે કયા તલનો શું મતલબ થાય છે.

શું તમે જાણો છો શરીરના અંગો પર તલ હોવાનો શું અર્થ? આ અંગ પર તલ ધરાવતા લોકો હોય છે અમીર
શરીર પર તલનો અર્થ
| Updated on: Jun 01, 2021 | 4:05 PM
Share

આપણા શરીર પર ઘણી જગ્યાએ તલ જોવા મળે છે. દરેક વ્યક્તિને કોઈ ના કોઈ જગ્યાએ તલ જરૂર હોય છે. તલને લઈને કહેવામાં આવે છે કે તેનાથી તમારા સ્વભાવ વિશે ઘણું બધું કહી જાય છે. માણસના શરીરના કયા અંગ પર તલ છે તેના પરથી તેના સ્વભાવ વિશે કહી શકાય છે. ચાલો તમને જણાવીએ કે કયા તલનો શું મતલબ થાય છે.

આંખની અંદર તલ હોય

કેટલાક લોકોની આંખોની અંદર તલ જોવા મળે છે. આંખમાં તલ હોય એવા લોકો માટે કહેવામાં આવે છે આ લોકો ખૂબ અમીર હોય છે. તેમજ એમ પણ કહેવાય છે કે જે લોકોની ડાબી આંખમાં તલ હોય છે તે ઘમંડી છે. બીજી બાજુ જો ડાબી આંખ નીચે તલ હોય તો તે કામુકતાની નિશાની હોવાનું કહેવાય છે.

નાક પર તલ

નાક પર તલ હોય એવા લોકો ખુબ નખરાવાળા હોય છે. તેમજ તેમને ગુસ્સો પણ બહુ આવે છે. એટલું જ નહીં આ લોકો રોમેન્ટિક હોવાની સાથે તેમને ફલર્ટ કરવાનું પણ પસંદ હોય છે.

હોઠ ઉપર તલ હોવો

જે લોકોના હોઠ પર કે આસપાસ તલ હોય છે તેઓ ખુબ પ્રેમાળ હોય છે. તેના દિલમાં બધા માટે પ્રેમ હોય છે. આ લોકો બુદ્ધિમાન પણ હોય છે અને દરેક કામને દિલથી કરે છે.

ગાલ પર તલ

જે લોકોના જમણા ગાલ પર તલ હોય છે, તે ભાવનાત્મક વ્યક્તિ હોવાનું મનાય છે. આ સિવાય ડાબી બાજુના ગાલ પર તલ ધરાવતા લોકો ખૂબ જ શાંત હોય છે. તેઓ ખૂબ ધીરજ ધરાવતા હોય છે.

કાન નજીક તલ

કાન પર કે તેની નજીક તલ ધરાવતા લોકો નસીબદાર હોય છે. એવું કહેવામાં આવે છે કે આવા લોકો ઘરની જવાબદારીઓ ખૂબ જ સરળતાથી નિભાવતા હોય છે.

ગરદન પર તલ

ગળા પરની તલ વિશે કહેવામાં આવે છે કે આવા વ્યક્તિ સારા સ્વભાવના હોય છે. તેમનામાં એવા ઘણા ગુણો હોય છે જે લોકોને પસંદ આવે. તેમનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હોય છે.

ખભા પર તલ

જે લોકોના ખભા પર તલ હોય છે, તે જીવનમાં ઘણી જવાબદારીઓ નિભાવતા હોય છે. ઉપરાંત, તેઓ ખૂબ જ હોશિયાર અને સારા સ્વભાવના હોય છે.

છાતી પર તલ

છાતી પર તલ વિશે વાત કરીએ તો તેઓ ખૂબ આળસુ હોવાનું કહેવામાં આવે છે, તેઓ સખત મહેનત કરવાનું પસંદ કરતા નથી. તેઓ સરળ જીવન જીવવાનું પસંદ કરે છે.

હથેળી પર તલ

જેમની હથેળી પર તલ હોય છે તેવા લોકો વિશે કહેવામાં આવે છે કે જો જમણી હથેળી પર તલ છે તો તે લોકો સમૃદ્ધ છે. જ્યારે એવું કહેવામાં આવે છે કે ડાબી હથેળીમાં તલ વાળા લોકો વધુ ખર્ચ કરે છે.

પગ પર તલ

જે લોકોના પગ પર તલ હોય છે તેમને મુસાફરી કરવી ગમે છે. તેઓ વિશ્વભરમાં ફરવા માંગે છે અને તેમને તકો પણ મળે છે.

Follow Us
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
g clip-path="url(#clip0_868_265)">