યોગી આદિત્યનાથ સરકારની ચેતવણી, માઈકનો અવાજ ધાર્મિક પરીસરની બહાર ના જવો જોઈએ, તોફાની તત્વોની ખેર નથી

|

Apr 19, 2022 | 6:44 AM

યોગી આદિત્યનાથે કહ્યું છે કે પરવાનગી વગર કોઈ પણ જુલુસ કે ધાર્મિક શોભાયાત્રા ન કાઢવા જોઈએ. પરવાનગી આપતા પહેલા, આયોજક પાસેથી શાંતિ અને સંવાદિતા જાળવવા અંગેનું સોગંદનામું લેવું જોઈએ.

યોગી આદિત્યનાથ સરકારની ચેતવણી, માઈકનો અવાજ ધાર્મિક પરીસરની બહાર ના જવો જોઈએ, તોફાની તત્વોની ખેર નથી
Yogi Adityanath, Chief Minister of Uttar Pradesh

Follow us on

દિલ્હીના જહાંગીરપુરીમાં (Jahangirpuri) ધાર્મિક શોભાયાત્રા દરમિયાન ફાટી નીકળેલી હિંસાની ઘટના બાદ, ઉતર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) રાજ્યમાં ધાર્મિક કાર્યક્રમોને લઈને વધુ સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે આગામી 4 મે સુધી પોલીસ અને વહીવટી અધિકારીઓની રજાઓ રદ કરી છે. આ સાથે જ માઈકનો (Mike) અવાજ માત્ર ધાર્મિક સ્થળ પૂરતો મર્યાદિત રાખવા માટે કહેવામાં આવ્યું છે. યોગીએ સોમવારે રાત્રે પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ યોજી હતી.

યોગી આદિત્યનાથે કહ્યું કે ધાર્મિક કાર્યક્રમો અને પૂજા ફક્ત નિર્ધારિત સ્થળે જ થવી જોઈએ. માર્ગ, વાહનવ્યવહારને ખોરવીને કોઈ ધાર્મિક પ્રસંગ ના હોવો જોઈએ. દરેક વ્યક્તિને તેમની ધાર્મિક વિચારધારા અનુસાર પોતાની પૂજા પ્રણાલીને અનુસરવાની સ્વતંત્રતા છે. માઈકનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ માઈકનો અવાજ પરિસરમાંથી બહાર ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. માઈકના અવાજને કારણે અન્ય લોકોને અસુવિધા ન થવી જોઈએ. હવે પછી નવા સ્થળો કે જગ્યા પર માઇક્સ લગાડવાની મંજૂરી નહી આપવા પણ આદેશ કર્યો હોવાનું અમર ઉજાલાના અહેવાલમાં જણાવાયુ છે.

પરવાનગી વિના ધાર્મિક સરઘસ

યોગીએ કહ્યું કે પરવાનગી વગર કોઈ શોભાયાત્રા કે ધાર્મિક જુલુસ ન કાઢવા જોઈએ. પરવાનગી આપતા પહેલા, આયોજક પાસેથી શાંતિ અને સંવાદિતા જાળવવા અંગેનું સોગંદનામું લેવું જોઈએ. ફક્ત એવા જ ધાર્મિક જુલુસને પરવાનગી આપવી જોઈએ, જે પરંપરાગત હોય, નવા કાર્યક્રમોને બિનજરૂરી પરવાનગી ન આપવી જોઈએ. તાજેતરના દિવસોમાં વિવિધ ધર્મોના ઘણા તહેવારોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે તે આનંદદાયક છે. રાજ્યના દરેક નાગરિકની સુરક્ષા એ આપણા સૌની પ્રાથમિક જવાબદારી છે. આપણી આ જવાબદારી પ્રત્યે આપણે સદા જાગૃત રહેવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રજાઓ રદ કરો

યોગીએ કહ્યું કે આગામી દિવસોમાં ઘણા મહત્વપૂર્ણ ધાર્મિક તહેવારો છે. રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ઈદ અને અક્ષય તૃતીયાનો તહેવાર એક જ દિવસે થઈ શકે છે. તેથી પોલીસે વધુ સંવેદનશીલ બનવાની જરૂર છે. પોલીસ સ્ટેશનથી લઈને ADG સુધી, આગામી 24 કલાકમાં પોતપોતાના વિસ્તારના ધર્મગુરુઓ, સમાજના અન્ય પ્રતિષ્ઠિત લોકો સાથે સંવાદ કરો. SO, CO અને પોલીસ ઈન્સ્પેકટરથી માંડીને જિલ્લા મેજિસ્ટ્રેટ, ડિવિઝનલ કમિશનર સુધીના તમામ વહીવટી અને પોલીસ અધિકારીઓની રજા 4 મે સુધી રદ કરવામાં આવશે. જેઓ રજા પર છે, તેઓ આગામી 24 કલાકમાં પોસ્ટિંગના સ્થળે પાછા ફરવા કહો.

આ પણ વાંચોઃ

PM મોદીનું 21 એપ્રિલે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન, ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર બહાર પાડવામાં આવશે સિક્કો અને ટપાલ ટિકિટ

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today : આજે સવારે 6 વાગે ઇંધણના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે?

Published On - 6:42 am, Tue, 19 April 22

Next Article