AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કેમ બે-ચાર કલાકમાં ખાબકે છે 8-10 ઈંચ વરસાદ ? જાણો શુ કહ્યું વિશ્વ હવામાન સંસ્થાએ ?

વિશ્વ હવામાન સંસ્થાના જણાવ્યા અનુસાર, છેલ્લા 50 વર્ષમાં ભારતમાં 1,38,778 લોકોએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની આ ઘટનાઓ આવનારી તબાહીની ઝલક આપી રહી છે.

ગુજરાતમાં કેમ બે-ચાર કલાકમાં ખાબકે છે 8-10 ઈંચ વરસાદ ? જાણો શુ કહ્યું વિશ્વ હવામાન સંસ્થાએ ?
global warming
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 3:06 PM
Share

વિશ્વભરમાં થઈ રહેલ હવામાનમાં ફેરફાર એ કોઈ નવો વિષય નથી, કે દુનિયા તેનાથી સાવ અજાણ પણ નથી. આમ હોવા છતાં, આના પર ખર્ચ કરવામાં આવતી રકમ પૂરતી નથી. આ અમે નહીં પરંતુ વિશ્વ હવામાન સંસ્થાના તાજેતરમાં જાહેર થયેલા વૈશ્વિક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. વિશ્વ હવામાન સંસ્થાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 70ના દશકાથી લઈને વર્ષ 2021 સુધીમાં હવામાનની ઘટનાઓને કારણે માનવ સંસાધન અને અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું છે.

વિશ્વ હવામાન સંસ્થાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જળવાયુ પરિવર્તનને કારણે છેલ્લા પાંચ દાયકામાં 12 હજાર કુદરતી આફતોમાં લગભગ 20 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય આ આફતોના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને 4.3 ટ્રિલિયન ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું હતું. આત્યંતિક હવામાનની આવર્તન અને તેના કારણે ભારે નુકસાનનો અવકાશ વધી રહ્યો છે, જે પોતે જ ચિંતાનો વિષય છે.

આબોહવા પરિવર્તનને કારણે ફેરફારો

કેનેડામાં તાજેતરના જંગલોમાં લાગેલી આગ હોય કે પછી પાકિસ્તાનમાં આવેલા પૂર, જેણે ત્યાંના ત્રણ કરોડ લોકોના જીવનને તબાહ કરી નાખ્યું. યુરોપના દેશોમાં આકરી ગરમી એ ક્લાઈમેટ ચેન્જમાં ફેરફારનું મોટું ઉદાહરણ છે. ગયા વર્ષે મહાસત્તા અમેરિકાએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેને ક્લાઈમેટ ચેન્જના કારણે સર્જાયેલી આફતોને કારણે 165 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે.

ભારતના હવામાનમાં પણ બદલાવ

ભારતમાં પણ આવી જ સ્થિતિ છે, જ્યાં ચોમાસાના ચક્રમાં ફેરફાર થયો છે, તાપમાનમાં વધારો થવો, પૂર આવવું અને દુષ્કાળ પડવો, ભૂગર્ભ જળ સ્તરમાં ઘટાડો થવો એ સામાન્ય બાબત બની ગઈ છે. વિશ્વ હવામાન સંસ્થાના જણાવ્યા અનુસાર, છેલ્લા 50 વર્ષમાં ભારતમાં 1,38,778 લોકોએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની આ ઘટનાઓ આવનારી તબાહીની ઝલક આપી રહી છે.

આબોહવા પરિવર્તનનો ખતરો

આબોહવા પરિવર્તનને રોકવા માટે આપણું વર્તન બદલવાનો સમય આવી ગયો છે. જળવાયુ પરિવર્તનના જોખમને ઘટાડવા માટે નક્કર પ્રયાસો જરૂરી છે. અન્યથા આ સંકટ માનવ સભ્યતાના અંતનું સૌથી મોટું કારણ બની જશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
g clip-path="url(#clip0_868_265)">