કોરોના મહામારી વચ્ચે હાલના સમયમાં વોટ્સએપ પર એક મેસેજ સર્ક્યુલેટ થઇ રહ્યો છે. આ મેસેજમાં એક લીનક આપને શેર કરવામાં આવશે અને તેના પર ક્લિક કરવા માટે કેહવામાં આવશે. મેસેજમાં કેહવામાં આવ્યું હશે કે કોરોના માટે સરકાર તરફથી રાહત ફંડ આપવામાં આવી રહ્યું છે. જાણો કેવી રીતે મેળવી શકો છો, અગર તમે આવો કોઈ મેસેજ મેળવ્યો છે તો તમારે સાવધાન રેહવાની જરૂર છે. સરકાર દ્વારા આ સંદર્ભની મોબાઈલ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ મેસેજ ખોટો છે અને હેકર્સ દ્વારા તેને મોકલવામાં આવી રહ્યો છે. હેકર્સ તેનો ફાયદો ઉઠાવીને તમને જાળમાં ફસાવવાની કોશિશ કરી શકે છે.
સરકારે આપ્યું એલર્ટ
સરકાર તરફથી PIB FACT CHECKના ટ્વીટર હેન્ડલ પર આ માહિતી શેર કરવામાં આવી છે અને આ મેસેજને ખોટો બતાવવામાં આવ્યો છે. સરકાર તરફથી કેહવામાં આવ્યું છે કે કોવીડ-19ને લઈને કોઈ ફંડ આપવામાં નથી આવી રહ્યું. આવા કોઈ પણ મેસેજને કોઈને પણ ફોરવર્ડ નહિ કરવા માટે સલાહ આપવામાં આવી છે. ચેતવણીમાં એમ પણ કેહવામાં આવ્યું છે કે આવા પ્રકારના મેસેજ તમારા ફોનને હેક કરી શકે છે, ડેટા ચોરી સહીત બેંક ખાતામાં પણ ચૂનો લગાવી શકે છે.
ખોટા મેસેજને ફોરવર્ડ કરવાથી બચો
આ મેસેજમાં ફંડ તરીકે તમામ નાગરિકોને 1.30 લાખ રૂપિયા આપવા માટે કેહવામાં આવ્યું છે અને 18 વર્ષ સુધી ના લોકોને આપવા માટે કેહવાયું છે. મેસેજ સાથે મોકલવામાં આવેલી લિંક પર ફંડ વેરીફાઈ કરવા માટેનું કેહવામાં આવ્યું છે.
ખોટા મેસેજથી કેવી રીતે બચશો
વોટ્સએપ પર આવા ખોટા મેસેજને લઈને સમય સમય પર એલર્ટ આપવામાં આવતું હોય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો