ગત રવિવારે ગ્લેશિયર તૂટવાના કારણે ચમોલી જિલ્લાની ઋષિગંગા નદીમાં આવેલા ભારે પૂરના કારણે મોટી હોનારત સર્જાઈ હતી. પુર દરમિયાન પાણીમાં ડૂબવાથી બચવા તપોવન ડેમ પાસેના શ્રમિકો એક ટનલમાં ઘૂસ્યા હતા પણ નદીનું પાણી અને કાદવ ટનલમાં ભરાઈ જતાં આ લોકો ટનલમાં જ ફસાઈ ગયા હતા. ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં શરૂ હતું, ત્યાં જ બીજી એક સમસ્યા સામે આવી છે.
#Uttarakhand: Operation resumes at tunnel in Joshimath, #Chamoli dist after it was temporarily halted following a rise in water level of Rishiganga river.NDRF personnel say, Water level is rising so teams were shifted to safer locations. Operation has resumed with limited teams. pic.twitter.com/SqVvWtY1ng
— tv9gujarati (@tv9gujarati) February 11, 2021
ઋષિગંગા નદીમાં અચાનક વધ્યું જળસ્તર
ગુરુવારે ચમોલીમાં ઋષિગંગા નદીમાં અચાનક જળસ્તર વધી જતાં ફરી એક વખત અફરા તફરી મચી ગઈ હતી. અચાનક જળસ્તર વધવાને કારણે ટનલમાં રાહત અને બચાવ કાર્ય બંધ કરવું પડ્યું હતું. શ્રમિકોની શોધખોળમાં રોકાયેલ ટીમને રાહત અને બચાવ કાર્ય બંધ કરી તપોવન ટનલમાંથી તાબડતોબ બહાર નીકળી જવું પડ્યું હતું. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે ઋષિગંગા નદીમાં જળસ્તર વધતાં ચમોલી જિલ્લામાં બચાવ કાર્યને થોડા સમય માટે અટકાવવામાં આવ્યું છે.
7 ફેબ્રુઆરીએ થઈ હતી હોનારત
7 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રૈની ગામ નજીક ગ્લેશિયર તૂટવાને કારણે ઋષિ ગંગા અને ધૌલી નદીમાં ભયાનક પુર આવ્યું હતું. આ દુર્ઘટનામાં ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ નાશ પામ્યો છે. ઘણા લોકોના મોત થયા છે અને સેંકડો લોકો હજી પણ ગુમ છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: કપૂર પરિવાર પર દુ:ખનો ઓછાયો, ARMAAN JAINના ઘરે પડી રેડ