UP: SP MLC પુષ્પરાજ જૈનના 40 થી વધુ સ્થળો પર દરોડા, 88 કરોડની છેતરપિંડી, નકલી બિલ બુક પણ મળી આવી

|

Jan 06, 2022 | 5:05 PM

પુષ્પરાજ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની (Akhilesh Yadav) ખૂબ નજીક છે અને તાજેતરમાં જ તેમણે સમાજવાદી પરફ્યુમ લોન્ચ કર્યું હતું.

UP: SP MLC પુષ્પરાજ જૈનના 40 થી વધુ સ્થળો પર દરોડા, 88 કરોડની છેતરપિંડી, નકલી બિલ બુક પણ મળી આવી
Pushpraj Jain - File Photo

Follow us on

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કન્નૌજમાં (Kannauj) છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઈન્કમ ટેક્સ વિભાગના (Income Tax Department) દરોડા અંગે બુધવારે એક મોટો ખુલાસો થયો છે. સમાજવાદી પાર્ટીના એમએલસી (SP MLC) અને પરફ્યુમના વેપારી પુષ્પરાજ જૈન (Pushpraj Jain) ઉર્ફે પમ્પી અને યાકુબ મલિકના ઘર પર ઈન્કમ ટેક્સના દરોડામાં રૂ. 88 કરોડની છેતરપિંડી મળી છે.

આવકવેરા વિભાગને દરોડામાં કેટલાક પુરાવા મળ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ પરફ્યુમના વેપારીઓએ વેચાણ ઓછું બતાવીને કરચોરી કરી છે. તેમજ જંગી માત્રામાં સ્ટોકમાં ગેરરીતિઓ જોવા મળી છે. તમને જણાવી દઈએ કે, ઈન્કમટેક્સ ટીમે ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુમાં 5 દિવસ સુધી 40 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા.

આવકવેરાના દરોડામાં ભૂલો સામે આવી

આ કેસમાં, આવકવેરાની ટીમને નકલી બિલ બુકનો મોટો જથ્થો પણ મળ્યો છે. જેમાં કરોડો રૂપિયાના 35 થી 40 ટકા કાચા બિલો મળી આવ્યા છે. છેતરપિંડીથી મળેલા નાણાંમાંથી મુંબઈ અને યુએઈના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા છે. આ સાથે જ શેલ કંપનીઓના બોગસ શેરના નામે કરોડો રૂપિયાની ગેરરીતિ પણ સામે આવી છે. ઈન્કમટેક્સે આ બંને બિઝનેસમેનના ઘણા બેંક લોકર જપ્ત કર્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં આવકવેરા વિભાગની ટીમે યુપીમાં સમાજવાદી પાર્ટીના એમએલસી પુષ્પરાજ જૈનના ઘર પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે MLCના કન્નૌજ, કાનપુર સહિત ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. કહેવાય છે કે પુષ્પરાજ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની (Akhilesh Yadav) ખૂબ નજીક છે અને તાજેતરમાં જ તેમણે સમાજવાદી પરફ્યુમ લોન્ચ કર્યું હતું.

અખિલેશે ઈન્કમટેક્સ રેડને ચૂંટણી પહેલાની કાર્યવાહી જણાવી

સપા પ્રમુખ અખિલેશે રેડને લઈને પ્રેસ કોન્ફરન્સમાં આવકવેરા વિભાગના દરોડાઓને ચૂંટણી પહેલા દબાણનું કૃત્ય ગણાવ્યું હતું. સપાના વડાએ કહ્યું હતું કે લાંબા સમયથી દરેક લોકો કહેતા હતા કે જેમ જેમ ચૂંટણીનો દિવસ નજીક આવશે તેમ તેમ સપા સમર્થકોના ઘરો પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવશે.

ભાજપ પર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે પુષ્પરાજ જૈનને શોધવા ગયા હતા. પીયૂષ જૈનને કોણ મળવા જઈ રહ્યું છે તે જાણો. હેરાનગતિ દૂર કરવા પમ્પી જૈનના ઘરે દરોડા પાડવામાં આવે છે. સપાને મળી રહેલા સમર્થનથી ભાજપ ચોંકી ઉઠ્યું છે. એટલે દિલ્હીથી નેતાઓ આવતા જ રહે છે.

 

આ પણ વાંચો : Kolkata: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે, CM પણ આપશે હાજરી

આ પણ વાંચો : આખરે જાગ્યા ચન્ની : PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને પંજાબ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની કરી રચના

Next Article