કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે (Amit Shah) આજે અમદાવાદના થલતેજ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. જેમાં અમિત શાહે થલતેજના મેપલ ટ્રી ખાતે અગાશી પરથી પતંગ ચગાવ્યા હતા. આ દરમ્યાન તેમણે એક પેચ પણ કાપ્યો હતો, જેના પગલે ત્યાં એકત્ર કાર્યકર્તાઓ અને લોકોના આનંદ જોવા મળ્યો હતો. તેમજ અમિત શાહે પેચ કાપતા જ લોકોએ ‘કાપ્યો કાપ્યો છે’ ના નારા સાથે સમગ્ર માહોલ ગુંજવી દીધો હતો. આ ઉપરાંત તેમણે ઘાટલોડીયા વિસ્તારમા પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જો કે આ પૂર્વે ગુહમંત્રી અમિત શાહ આજે સવારે પરિવાર સંગ જગન્નાથ મંદિરમાં પવન પર્વે ભગવાન જગન્નાથના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા.
આ પણ વાંચો: Budget 2021: નિર્મલા સીતારમણ આગામી બજેટમાં મધ્યમ વર્ગને ટેક્સમાં આપી શકે છે રાહત, જાણો કેવી રીતે