Ukraine Russia War : ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીના મોત પર રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું ‘ દરેક મિનિટ કિંમતી’

|

Mar 01, 2022 | 6:40 PM

કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને લખ્યુ કે, 'યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મોતના દુ:ખદ સમાચારથી અમને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના.'

Ukraine Russia War : ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીના મોત પર રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું  દરેક મિનિટ કિંમતી
Rahul Gandhi (File Photo)

Follow us on

Ukraine Russia War : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે યુક્રેનના ખાર્કિવમાં(Kharkiv)  ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને કેન્દ્ર સરકારને (Indian Government) તમામ ફસાયેલા ભારતીયોને બચાવવા માટે વ્યૂહરચના ઘડવા હાકલ કરી હતી. તમને જણાવી દઈએ કે,વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) મંગળવારે એક ટ્વિટમાં મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે તે વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મૃતક વિદ્યાર્થી નવીન શેખરપ્પા ગ્યાનગૌદાર કર્ણાટકના હાવેરી જિલ્લાના ચલગેરીનો રહેવાસી હતો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ કે, યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થી નવીનના મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું પુનરોચ્ચાર કરું છું કે ભારત સરકારને સલામત સ્થળાંતર માટે વ્યૂહાત્મક યોજનાની જરૂર છે.દરેક મિનિટ કિંમતી છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ પણ નવીનના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સરકારને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઝડપથી બહાર કાઢવા માટે પણ વિનંતી કરી હતી.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

પ્રિયંકા ગાંધીએ પણ ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થી નવીનના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. દુ:ખની આ ઘડીમાં ભગવાન તેમને હિંમત આપે. હું સરકારને વિનંતી કરું છું કે અમારા તમામ વિદ્યાર્થીઓને શક્ય તેટલી વહેલી તકે પરત લાવવાના તમામ પ્રયાસો કરે.

આ પણ વાંચો  : UP Election: છઠ્ઠા તબક્કામાં સપાના દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર, રામ ગોવિંદ ચૌધરી, સ્વામી પ્રસાદ અને માતા પ્રસાદ સામે ગઢ બચાવવાનો પડકાર

આ પણ વાંચો  : Gurugram: બંધ ઘરમાં હથિયારો અને બોમ્બ હોવાની મળી માહિતી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ પહોંચી ઘટનાસ્થળે

Next Article