
ભારતીય ઈતિહાસમાં મહારાણા પ્રતાપનું નામ બહાદુરી અને સાહસના પ્રતીક તરીકે લેવામાં આવે છે. તેઓ મેવાડના રાણા હતા. મહારાણા પ્રતાપ એક યોદ્ધા હતા જેમણે મુઘલ સામ્રાજ્ય સામે લાંબા સમય સુધી લડત આપી હતી. તેમના વંશજો હજુ પણ ઉદયપુરમાં રહે છે અને તેમના વારસાને ટકાવી રાખ્યો છે, પરંતુ આ વારસાની સાથે મિલકતને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં આ વિવાદ કેમ વકર્યો છે, વિવાદનું મૂળ શું છે અને મહારાણા પ્રતાપના વંશજ કોણ છે તેના વિશે આ લેખમાં વિસ્તારથી જાણીશું. મહારાણા પ્રતાપના વંશજો અને મેવાડના રાજવી પરિવાર વચ્ચે વર્ચસ્વની લડાઈ રસ્તા પર આવી ગઈ છે. ઉદયપુરના રાજવી પરિવારમાં વિશ્વરાજસિંહ મેવાડના રાજ્યાભિષેક સમારોહને લઈને 25 નવેમ્બરે જે હંગામો થયો હતો તે સમગ્ર દેશે જોયો હતો. વિશ્વરાજસિંહના રાજ્યાભિષેક બાદ રાજવી પરિવારના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ઉદયપુરના સિટી પેલેસની બહાર પથ્થરમારો શરૂ થયો, વિશ્વરાજસિંહના સમર્થકો પર કાચની બોટલો ફેંકવામાં આવી. પરિસ્થિતિ વણસતી જોઈને પ્રશાસને ચાર્જ સંભાળ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. કેમ શરૂ...