દેશમાં લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરો ફસાયા છે અને સરકાર તેમને રેલવે મારફતે વતન મોકલી રહી છે. જો કે એવી ફરિયાદ ઉઠી રહી છે કે સરકાર દ્વારા મજૂરો પાસેથી ભાડું વસૂલવામાં આવે છે અને બાદમાં જ તેઓ સફર કરીને ઘરે પહોંચી શકે છે. આ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરો અંગે મોટો ચુકાદો આપ્યો છે. પ્રવાસી મજૂરો માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજ્ય સરકારને કહ્યું કે કોઈપણ જાતનું ભાડું વસૂલવામાં ના આવે અને તેમના ભોજનની પણ વ્યવસ્થા કરાઈ.
સુપ્રીમ કોર્ટે વિસ્તૃત આદેશ આપીને કહ્યું કે મૂળ રાજ્ય જ સ્ટેશન પર મજૂર માટે પાણી અને ભોજનની વ્યવસ્થા કરે. આ સાથે બસમાં પણ પાણી અને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે. ટ્રેનમાં રેલવે તરફથી મજૂરને પાણી અને ભોજન આપવામાં આવે. રાજ્ય સરકારને રજિસ્ટ્રેશન કર્યા બાદ તમામ વિગત રાખવાની રહેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો