ખેડૂત આંદોલન સાથે જોડાયેલો ટૂલકિટ કેસ, કોર્ટે દિશા રવિને આપ્યા જામીન

|

Feb 23, 2021 | 10:29 PM

ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ટૂલકિટ મામલે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિને જામીન મળી ગયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દિશાને એક લાખના શરતી બોન્ડ પર જામીન આપ્યા છે.

ખેડૂત આંદોલન સાથે જોડાયેલો ટૂલકિટ કેસ, કોર્ટે દિશા રવિને આપ્યા જામીન
Disha Ravi

Follow us on

ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ટૂલકિટ મામલે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિને જામીન મળી ગયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દિશાને એક લાખના શરતી બોન્ડ પર જામીન આપ્યા છે. આમ, 9 દિવસ પછી દિશાને જેલમાંથી બહાર નીકળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જ્યારે આ જ કેસમાં સહ આરોપી શાંતનું મુલુકે પણ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે.

આ વિશે બુધવારે સુનાવણી થવાની છે. ગઈ સુનાવણીમાં કોર્ટે દિલ્હી પોલીસને પુછ્યું હતું કે, તમારી પાસે શુ પુરાવા છે કે ટૂલકિટ અને 26 જાન્યુઆરીએ થયેલી હિંસામાં કોઈ કનેક્શન છે? આ વિશે દિલ્હી પોલીસે જણાવ્યું કે, અત્યારે તપાસ ચાલી રહી છે. અમે તેની તપાસ કરીશું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પોલીસે કોર્ટેને કહ્યું હતું કે, ભારતને બદનામ કરવાના ગ્લોબલ કાવતરાંમાં દિશા પણ સામેલ છે. તેણે ખેડૂત આંદોલનના પડદા પાછળ વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કર્યો છે. દિશાએ ટૂલકિટ બનાવી અને શેર કરી. તે ઉપરાંત તે ખાલિસ્તાનની વકાલત કરનારના સંપર્કમાં પણ આવી. જોકે દિશાના વકિલે આ આરોપેને નિરાધાર ગણાવ્યા છે.

Next Article