હવે ટ્રાફિક નિયમ તોડનારા લોકોની ખેર નહીં, રદ થઈ શકે છે પાસપોર્ટ અને વીઝા

|

Jan 28, 2020 | 9:59 AM

હવે વિદેશ જવાની ઈચ્છા રાખનારા લોકોએ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું મોંઘુ પડી શકે છે. ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનારા લોકોનો પાસપોર્ટ અને વીઝા રદ થઈ શકે છે. પંજાબના લુધિયાણામાં ટ્રાફિકની સમસ્યાને જોતા સતત લુધિયાણા પોલીસ કમિશ્નર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જો લોકો હવે વિદેશમાં જવા માટે ઈચ્છુક છે અને જો તે ટ્રાફિક […]

હવે ટ્રાફિક નિયમ તોડનારા લોકોની ખેર નહીં, રદ થઈ શકે છે પાસપોર્ટ અને વીઝા

Follow us on

હવે વિદેશ જવાની ઈચ્છા રાખનારા લોકોએ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું મોંઘુ પડી શકે છે. ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનારા લોકોનો પાસપોર્ટ અને વીઝા રદ થઈ શકે છે. પંજાબના લુધિયાણામાં ટ્રાફિકની સમસ્યાને જોતા સતત લુધિયાણા પોલીસ કમિશ્નર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જો લોકો હવે વિદેશમાં જવા માટે ઈચ્છુક છે અને જો તે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેની ભારે કિંમત તેમને ચૂકવવી પડી શકે છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કારણ કે ટ્રાફિક નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારા લોકોનો પાસપોર્ટ રદ કરવાનું અભિયાન લુધિયાણા પોલીસે શરૂ કરી દીધું છે. આ સિવાય પોલીસે લુધિયાણામાં ગેરકાયદેસર અટકાયત કરવા વિરુદ્ધ પણ એક અભિયાન શરૂ કર્યું છે, જેની હેઠળ એક દિવસમાં જ 29 લોકો પર મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસ કમિશ્નર રાકેશ અગ્રવાલ મુજબ ટ્રાફિકની સમસ્યા લુધિયાણામાં એક મોટી મુશ્કેલી છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસે હવે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોનો પાસપોર્ટ અને હથિયારનું લાઈસન્સ રદ કરવામાં આવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેમને વધુમાં કહ્યું કે દુતાવાસો દ્વારા પણ પંજાબ પોલીસની સાથે મળીને આ વિશે ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. જે લોકો ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા, તેમને વિદેશમાં જવા સંબંધીત વીઝા લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:58 am, Tue, 28 January 20

Next Article