Delhi Air Pollution: દિલ્લીમાં AQI 315 નોંધાયો, આ વર્ષની દિવાળી 22% વધુ પ્રદૂષિત

|

Nov 23, 2021 | 10:52 AM

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE)ના અભ્યાસ મુજબ, લોકોએ દિવાળીની રાત્રે 8 વાગ્યાથી બીજા દિવસે સવારે 8 વાગ્યાની વચ્ચે પ્રદૂષણના ભયજનક સ્તરનો સામનો કરવો પડ્યો હતો.

Delhi Air Pollution: દિલ્લીમાં AQI 315 નોંધાયો, આ વર્ષની દિવાળી 22% વધુ પ્રદૂષિત
Air Pollution ( File photo )

Follow us on

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું (Delhi Air Pollution) સ્તર દિવાળી બાદથી ઘણું વધી રહ્યું છે. સરકારના તમામ પ્રતિબંધો છતાં દિવાળી પર પુષ્કળ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE)ના અભ્યાસ મુજબ, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળીની રાત્રે 22 ટકા વધુ પ્રદૂષણ થયું હતું. મંગળવારે સવારે રાજધાનીમાં હવા (Delhi Air Quality) ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં રહી હતી.

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર દિવાળીથી ઘણું ઊંચું છે. સરકારના તમામ પ્રતિબંધો છતાં દિવાળી પર પુષ્કળ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE)ના અભ્યાસ મુજબ, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળીની રાત્રે 22 ટકા વધુ પ્રદૂષણ થયું હતું. મંગળવારે સવારે રાજધાનીમાં હવા ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં રહી હતી.

CSEના અભ્યાસ મુજબ, લોકોએ દિવાળીની રાત્રે 8 વાગ્યાથી બીજા દિવસે સવારે 8 વાગ્યાની વચ્ચે પ્રદૂષણના ભયજનક સ્તરનો સામનો કરવો પડ્યો હતો. આ 12 કલાક દરમિયાન હવામાં PM 2.5 પ્રદૂષક રજકણોનું પ્રમાણ સરેરાશ 747 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતું. જ્યારે દિવાળીની રાત્રે, દિલ્હીમાં 38 માંથી 26 મોનિટરિંગ કેન્દ્રો એવા હતા જ્યાં પ્રદૂષક કણ પીએમ 2.5નું સ્તર 1000 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર સ્તરને વટાવી ગયું હતું. આવા મોનિટરિંગ કેન્દ્રોની સંખ્યા વર્ષ 2020માં 23 અને વર્ષ 2019માં 22 હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દિવાળીની રાત્રે ઓખલા ફેઝ-2 અને અશોક વિહારમાં સૌથી વધુ પ્રદૂષણ
દિવાળી પછી દર વર્ષે દિલ્હીમાં હવાની ગુણવત્તા બગડે છે. આ સ્થિતિમાં આ વર્ષે પણ સરકારે દિવાળી પર ફટાકડાના ઉપયોગ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. દિલ્હીમાં સરકારે 1 જાન્યુઆરી, 2022 સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં રાજધાનીમાં આગની ઘણી ઘટનાઓ બની હતી. સીએસઈએ ડીપીસીસી ડેટાના વિશ્લેષણના આધારે દાવો કર્યો હતો કે ઓખલા ફેઝ-2 અને અશોક વિહારના લોકોએ દિવાળીની રાત્રે સૌથી વધુ પ્રદૂષિત હવામાં શ્વાસ લીધો હતો.

મંગળવારે સવારે AQI 315 નોંધાયો હતો
દિવાળીની રાત્રે ઓખલા ફેઝ-2માં PM 2.5 નું સરેરાશ કલાકદીઠ સ્તર 1984 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટર અને અશોક વિહારમાં, 1947 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટરે પહોંચ્યું હતું. ધોરણો અનુસાર, હવામાં PM 2.5નું સરેરાશ સ્તર 24 કલાકની અંદર 60 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધુ ન હોવું જોઈએ. તે જ સમયે, મંગળવારે પણ દિલ્હીની હવા ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં રહી હતી. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના એર ક્વોલિટી મોનિટર ‘SAFAR’ અનુસાર, મંગળવારે સવારે દિલ્હીની એકંદર હવાની ગુણવત્તા (AQI) 315 નોંધાઈ હતી.

આ પણ વાંચો : Ramayana Circuit Train: સાધુ-સંતોની ચેતવણી બાદ IRCTCએ વેઈટરોના ભગવા ડ્રેસ બદલ્યા, હવે પહેરશે આવા કપડાં

આ પણ વાંચો : ફ્રાન્સના વડા પ્રધાન કોરોના સંક્રમિત, 75 ટકા વસ્તીને રસીકરણ પછી પણ કોરોનાના કેસ વધતા ચિંતા વ્યાપી

Next Article