અયોધ્યામાં હાલમાં જશ્નનો માહોલ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામજન્મભૂમિ પર મંદિર નિર્માણનો માર્ગ સાફ થઈ ગયો છે. હવે ભવ્યમંદિરનું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે આ વર્ષે અયોધ્યામાં વર્ચ્યુઅલ રીતે દીપોત્સવ કરવામાં આવશે. દિવાળીમાં અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. આ વખતે યોગી સરકારનો અયોધ્યામાં આ ચોથો દીપોત્સવ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અન્ય દીપોત્સવની જેમ આ વર્ષે પણ રેકોર્ડ બનાવવાની તૈયારી છે. આ વખતનો દીપોત્સવ બે ગણા ઉત્સવની સાથે મનાવવાની યોજના છે. કોવિડ 19ના દિશા નિર્દેશોનું પાલન કરતા અયોધ્યામાં આ વખતે 5.51 લાખ દીવા પ્રગટાવી નવા રેકોર્ડ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જિનિસ બુકમાં દાખલ 4.14 લાખ દીવા પ્રગટાવવાનો પોતાનો જ રેકોર્ડ અયોધ્યાવાસી તોડશે.
મુખ્ય સચિવ નવનીત સહગલે જણાવ્યું કે અયોધ્યામાં આયોજિત દીપોત્સવ કાર્યક્રમમાં એકરૂપતા હશે. જે પણ અયોધ્યામાં સજાવટ થઈ રહી છે, તેનું ડ્રોન મેપિંગ થશે. તે સિવાય દીપોત્સવની ખાસિયત એ હશે કે અમે ડિજિટલ દીવાળીનો કન્સેપ્ટ લોન્ચ કરી રહ્યા છે. તેના દ્વારા ઓનલાઈન લોકો અયોધ્યામાં કાર્યક્રમમાં સામેલ થઈ શકશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો