છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ઘટનાઓમાં થયો છે ઘટાડો, ગૃહ મંત્રાલયે સંસદને આપી આ તમામ માહિતી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Home Ministry) સંસદને માહિતી આપી હતી કે, છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે.

છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ઘટનાઓમાં થયો છે ઘટાડો, ગૃહ મંત્રાલયે સંસદને આપી આ તમામ માહિતી
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 7:09 PM

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Home Ministry) સંસદને માહિતી આપી હતી કે, છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. ગૃહ મંત્રાલય દ્વારા લોકસભામાં આપવામાં આવેલા જવાબ અનુસાર 2020માં 244 આતંકવાદી ઘટનાઓ બની હતી અને 62 સુરક્ષા દળો શહીદ થયા હતા. આ સિવાય 2021માં 229 આતંકવાદી ઘટનાઓ બની હતી.

વર્ષ 2021માં 1.63 લાખથી વધુ ભારતીયો નાગરિકતા છોડી વિદેશમાં સ્થાયી થયા

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીયોમાં દેશની નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થવાનું ચલણ વધી રહ્યું છે. 2021 માં, કુલ 1,63,370 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી અને અન્ય દેશોમાં સ્થાયી થયા. 2020માં આ આંકડો 85,256 હતો. તે જ સમયે, 2019 માં, કુલ 1,44,017 લોકો ભારતીય નાગરિકતા છોડીને વિદેશ ગયા છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આ માહિતી આપી હતી. તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વિદેશમાં સ્થાયી થવા માટે અમેરિકા ભારતીયોની પ્રથમ પસંદગી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અમેરિકા ભારતીયોની પહેલી પસંદ, ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 2019માં 61,683 લોકો ભારતીય નાગરિકતા છોડીને અમેરિકામાં સ્થાયી થયા હતા. 2020માં આ સંખ્યા 30,828 હતી. જ્યારે 2021માં 71,284 લોકો અમેરિકા તરફ વળ્યા હતા. ભારતીય નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થવા માટે ઓસ્ટ્રેલિયા ભારતીયોની બીજી પસંદગી હતી. 2019માં 21,340 લોકો ભારતીય નાગરિકતા છોડીને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હતા. 2020માં આ આંકડો 13,518 હતો. તે જ સમયે, 2021 માં, કુલ 23,533 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">