‘બૂલબૂલ’ વાવાઝોડાનો કહેર, પશ્ચિમ બંગાળમાં 23,811 કરોડ રૂપિયાનું નુકસાન, 5 લાખથી વધુ ઘર તબાહ

|

Nov 17, 2019 | 4:58 AM

પશ્ચિમ બંગાળમાં ‘બૂલબૂલ’ વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. તેનાથી 23,811 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને 3 જિલ્લામાં લગભગ 35 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા ‘બૂલબૂલ’થી થયેલા નુકસાનના સંબંધમાં શનિવારે કેન્દ્ર સરકારની એક ટીમને આપેલા એક રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય દળના સભ્યોને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિંહાની સાથે […]

બૂલબૂલ વાવાઝોડાનો કહેર, પશ્ચિમ બંગાળમાં 23,811 કરોડ રૂપિયાનું નુકસાન, 5 લાખથી વધુ ઘર તબાહ

Follow us on

પશ્ચિમ બંગાળમાં ‘બૂલબૂલ’ વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. તેનાથી 23,811 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને 3 જિલ્લામાં લગભગ 35 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા ‘બૂલબૂલ’થી થયેલા નુકસાનના સંબંધમાં શનિવારે કેન્દ્ર સરકારની એક ટીમને આપેલા એક રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે.

કેન્દ્રીય દળના સભ્યોને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિંહાની સાથે સચિવાલયમાં એક બેઠક દરમિયાન આ રિપોર્ટ આપવામાં આવ્યો અને અલગથી એક રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. દળના સભ્યોએ શનિવારે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે મુલાકાત કરી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એક દિવસ પહેલા તેમણે ચક્રવાતથી અસરગ્રસ્ત ઉત્તરીય અને દક્ષિણના 24 પરગણા અને પૂર્વ મિદનાપુર જિલ્લાની મુલાકાત લીધી હતી. એક વરિષ્ઠ અધિકારીએ રિપોર્ટના હવાલાથી કહ્યું કે રાજ્યને ‘બૂલબૂલ’ વાવાઝોડાથી 3 જિલ્લામાં કુલ 23,811 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે 35 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. વાવાઝોડામાં 5,17,535 ઘર તબાહ થઈ ગયા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વાવાઝોડામાં પ્રભાવિત થયેલા લોકોની મદદમાં રાજનીતિ ના કરવાની અપીલ કરી છે. રાજ્યપાલ જગદીપ ધનખડે પણ મુખ્યમંત્રીના નિવેદન પર સહમતિ આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ‘બૂલબૂલ’ વાવાઝોડાથી પ્રભાવિતોને રાહત સામગ્રી આપવામાં રાજનીતિ ના થવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article