તેલંગણામાં પણ લહેરાવ્યો જીતનો ઝંડો! ગત ચૂંટણીમાં 7 ટકા વોટ આ વખતે થયા ડબલ
હાલમાં તેલગંણાની કમાન ચંદ્રશેખર રાવ પાસે છે. જેઓ 2014 થી તેલંગાણાના મુખ્યમંત્રી પદ પર છે. હવે કેસીઆરનું 2023માં હેટ્રિકનું સપનું ચકનાચૂર થતું જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં વિધાનસભા ચૂંટણીના વલણો પ્રમાણે કોંગ્રેસ આ ચૂંટણી જંગમાં આગળ વધતી જોવા મળી રહી છે.
તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો માટે મતદાનની ગણતરી ચાલી રહી છે. હાલમાં રાજ્યની કમાન ચંદ્રશેખર રાવ પાસે છે. જેઓ 2014 થી તેલંગાણાના મુખ્યમંત્રી પદ પર છે. હવે કેસીઆરનું 2023માં હેટ્રિકનું સપનું ચકનાચૂર થતું જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં વિધાનસભા ચૂંટણીના વલણો પ્રમાણે કોંગ્રેસ આ ચૂંટણી જંગમાં આગળ વધતી જોવા મળી રહી છે.
સમાચાર લખાય છે ત્યાં સુધી કોંગ્રેસ 64, BHRS 40, BJP 8, AIMIM 6 અને CPI 1 સીટ પર આગળ છે. વાત કરીએ ભાજપની તો ગત ચૂંટણીમાં ભાજપે માત્ર એક સીટ પર જીત મેળવી હતી. ત્યારે ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર હાલ આવી રહેલા વલણોમાં ભાજપ 8 સીટ પર આગળ ચાલી રહી છે. ગત ચૂંટણીમાં 7 ટકા મત મળ્યા હતા જે હાલના વલણો પ્રમાણે જોઈએ તો 14 ટકા વોટ થયા છે એટલે કે સીધા ડબલ થયા છે. ત્યારે બીઆરએસને 47 ટકા વોટ મળ્યા હતા. હાલ તેલંગણામાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.
AIMIMએ ખાતું ખોલાવ્યું, ચારમિનાર જીત્યો
બીજ તરફ બીઆરએસ ઉમેદવાર અને મંત્રી તલસાની શ્રીનિવાસ યાદવ સનથનગર વિધાનસભાથી જીત્યા છે. તેણે સનથનગરમાં જીતની હેટ્રિક ફટકારી હતી. અત્યાર સુધી આ સીટ પર સતત કોઈ જીતી શક્યું નથી. હવે તલસાણીના ખાતામાં હેટ્રિકનો રેકોર્ડ નોંધાયો છે. AIMIMના મીર ઝુલ્ફીકાર અલી ચારમિનારથી જીત્યા છે. આ ચૂંટણીમાં તેમણે ભાજપની મેઘા રાણી અગ્રવાલને હરાવ્યા હતા. 2018માં પણ આ સીટ ઓવૈસી બ્રધર્સની પાર્ટી પાસે હતી.
તેલંગાણાના સ્પીકર 23 હજાર મતોથી જીત્યા
તેલંગાણા વિધાનસભાના સ્પીકર પોચારામ શ્રીનિવાસ રેડ્ડી બાંસવાડા બેઠક પરથી જીત્યા છે. BRSના શ્રીનિવાસ રેડ્ડીએ કોંગ્રેસના ઉમેદવાર એનુગુ રવિન્દર રેડ્ડીને 23,582 મતોના માર્જિનથી હરાવ્યા. ભાજપે આ સીટ પરથી લક્ષ્મી નારાયણને મેદાનમાં ઉતાર્યા હતા.