વર્ષ દરમિયાન બેન્ક એકાઉન્ટમાંથી આટલી રોકડ રકમ ઉપાડવા પર લાગશે ટેકસ? જાણો શું છે મોદી સરકારનો ઉદ્દેશ

|

Jun 10, 2019 | 3:46 AM

કેન્દ્ર સરકાર વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધારે રોકડ રકમ બૅન્ક એકાઉન્ટમાંથી કાઢનાર પર ટેક્સ લગાવવા માટે વિચારી રહી છે. આ પગલું પેપર કરન્સીનો ઉપયોગ ઘટાડવા માટે, કાળાનાણાં પર નજર રાખવા માટે અને લેણ-દેણમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વધારવા માટે લેવામાં આવી શકે છે. સરકાર આ પ્રસ્તાવ પર પણ વિચાર કરી રહી છે કે વધારે રકમ કાઢવા પર […]

વર્ષ દરમિયાન બેન્ક એકાઉન્ટમાંથી આટલી રોકડ રકમ ઉપાડવા પર લાગશે ટેકસ? જાણો શું છે મોદી સરકારનો ઉદ્દેશ

Follow us on

કેન્દ્ર સરકાર વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધારે રોકડ રકમ બૅન્ક એકાઉન્ટમાંથી કાઢનાર પર ટેક્સ લગાવવા માટે વિચારી રહી છે. આ પગલું પેપર કરન્સીનો ઉપયોગ ઘટાડવા માટે, કાળાનાણાં પર નજર રાખવા માટે અને લેણ-દેણમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વધારવા માટે લેવામાં આવી શકે છે.

સરકાર આ પ્રસ્તાવ પર પણ વિચાર કરી રહી છે કે વધારે રકમ કાઢવા પર આધાર કાર્ડ જરૂરી કરવામાં આવે. એક અહેવાલ મુજબ સરકારને લાગે છે કે તેનાથી વ્યક્તિને ટ્રેક કરવામાં અને તેના ટેક્સ રિટર્ન સાથે મેળવવામાં સરળતા રહેશે. અત્યારે 50 હજાર રૂપિયાથી વધારે રકમ જમા કરવા પર PAN કાર્ડ આપવું જરૂરી છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સરકાર માત્ર આધાર કાર્ડ નંબર જ નહી પણ OTP દ્વારા એ નક્કી કરશે કે આધાર નંબરનો દુરૂઉપયોગ ના થાય. સરકારનું માનવું છે કે મોટા ભાગની વ્યક્તિઓ અને કંપનીઓને વર્ષ દરમિયાન 10 લાખ રૂપિયાથી વધારે રોકડ રકમ કાઢવાની જરૂરીયાત પડતી નથી.

આ પણ વાંચો: હવાઈ સુરક્ષા માટે આ અમેરિકી મિસાઈલ સિસ્ટમ કરશે કામ, જાણો આ મિસાઈલની ખાસિયતો

આ તમામ પ્રસ્તાવ પર 5 જુલાઈએ બજેટ જાહેર થવા પહેલા ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગયા અઠવાડિયે જ RBIએ જાહેરાત કરી હતી કે NEFT અને RTGS ટ્રાન્સફર પર બૅન્ક દ્વારા કોઈ ચાર્જ નહી વસુલવામાં આવે. કાર્ડના ઉપયોગ કરવા પર લાગતો ચાર્જ પણ ખત્મ થઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વવાળી UPA સરકારે 2005માં રોકડ વ્યવહાર પર ટેક્સ લગાવ્યો હતો પણ વિરોધ પછી તેને પાછો લેવો પડ્યો હતો. 2016માં મુખ્યમંત્રીઓની એક ઉચ્ચસ્તરીય પેનલે 50 હજાર રૂપયિાથી વધારે રોકડ રકમ કાઢવા પર ટેક્સની તરફેણ કરવામાં આવી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article