સુશાંતસિંહ રાજપુતનાં પિતાજી પર ટિપ્પણી મુદ્દે સંજય રાઉતની માફી માગવાનો ઈન્કાર,સંજય રાઉતે કહ્યું તેમને કોઈ લીગલ નોટીસ નથી મળી,માફી પર બંને પક્ષે આરપાર

|

Sep 20, 2020 | 11:21 PM

બોલીવુડનાં અભિનેતા Sushantsingh Rajputનાં પિત્રાઈ ભાઈ તેમજ છાતાપુરથી ધારાસભ્ય નિરજકુમાર બબલુ એ શિવસેનાનાં રાજ્યસભાનાં સાંસદ સંજય રાઉતને લીગલ નોટીસ મોકલી છે. આ નોટીસમાં સંજય રાઉતને સુશાંતસિંહ રાજપૂતનાં પિતાજીના બીજા લગ્ન માટે કરેલી કોમેન્ટને લઈ 48 કલકામાં માફી માગવા માટે કહેવામાં આવ્યું છે. અગર તેઓ એમ નથી કરતા તો તેની પર માનહાનીનો દાવો કરવાનું કહેવામાં આવ્યું […]

સુશાંતસિંહ રાજપુતનાં પિતાજી પર ટિપ્પણી મુદ્દે સંજય રાઉતની માફી માગવાનો ઈન્કાર,સંજય રાઉતે કહ્યું તેમને કોઈ લીગલ નોટીસ નથી મળી,માફી પર બંને પક્ષે આરપાર
http://tv9gujarati.in/sushant-sinh-raj…ne-pakshe-aarpar/

Follow us on

બોલીવુડનાં અભિનેતા Sushantsingh Rajputનાં પિત્રાઈ ભાઈ તેમજ છાતાપુરથી ધારાસભ્ય નિરજકુમાર બબલુ એ શિવસેનાનાં રાજ્યસભાનાં સાંસદ સંજય રાઉતને લીગલ નોટીસ મોકલી છે. આ નોટીસમાં સંજય રાઉતને સુશાંતસિંહ રાજપૂતનાં પિતાજીના બીજા લગ્ન માટે કરેલી કોમેન્ટને લઈ 48 કલકામાં માફી માગવા માટે કહેવામાં આવ્યું છે. અગર તેઓ એમ નથી કરતા તો તેની પર માનહાનીનો દાવો કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે સંજય રાઉતે આ મુદ્દે સુશાંતનાં પરિવારથી માફી માગવાની ના પાડી દીધી છે.

નિરજ બબલુએ મિડિયાનાં માધ્યમથી અને ખાસ તો સામનામાં છપાયેલા લેખનો હવાલો આપીને સાંસદે કરેલા નિવેદનને બેજવાબદાર ગણાવ્યું હતું. નોટીસ પ્રમાણે આ નિવેદનથી સુશાંતસિંહ રાજપૂતનો પરિવાર, મિત્રો અને તેના કરોડો ફેન્સની ભાવનાને દુ:ખ પહોચ્યું છે. વગર કોઈ સાચી જાણકારી મેળવ્યા વગર સાંસદે બેજવાબદારી ભરેલું નિવેદન આપીને તપાસને પ્રભાવિત કરવાની કોશિષ કરી છે.

આ મુદ્દે સંજય રાઉતે કહ્યું કે મે જાણકારીનાં આધારે જ નિવેદન આપ્યું હતું અને તેના પર હું માફી નહી માગું, મને ખબર નથી કે આ મુદ્દે કોઈ નોટીસ મોકલવામાં આવી છે કે કેમ. અગર આ મુદ્દે અમારા તરફથી કોઈ ભૂલ થઈ હશે તો તેના પર માફી માગવા માટે વિચાર કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સુશાંતનાં તેના પિતા સાથે સંબંધો સારા નોહતા, તેના પિતાએ બીજા લગ્ન કરી લેતા તે ખુશ નોહતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સાંસદનાં આ નિવેદનને નોટીસમાં ખોટુ ગણાવવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે તે સ્ટાર હોવાની સાતે પિતૃભક્ત પણ હતો, તે પિતાને દેવતુલ્ય માનતો હતો. રાઉતનાં નિવેદનને લઈતેના 72 વર્ષનાં પિતાને ઉંડો આઘાત લાગ્યો છે સાથે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 12:41 pm, Wed, 12 August 20

Next Article