બોલીવુડનાં અભિનેતા Sushantsingh Rajputનાં પિત્રાઈ ભાઈ તેમજ છાતાપુરથી ધારાસભ્ય નિરજકુમાર બબલુ એ શિવસેનાનાં રાજ્યસભાનાં સાંસદ સંજય રાઉતને લીગલ નોટીસ મોકલી છે. આ નોટીસમાં સંજય રાઉતને સુશાંતસિંહ રાજપૂતનાં પિતાજીના બીજા લગ્ન માટે કરેલી કોમેન્ટને લઈ 48 કલકામાં માફી માગવા માટે કહેવામાં આવ્યું છે. અગર તેઓ એમ નથી કરતા તો તેની પર માનહાનીનો દાવો કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે સંજય રાઉતે આ મુદ્દે સુશાંતનાં પરિવારથી માફી માગવાની ના પાડી દીધી છે.
નિરજ બબલુએ મિડિયાનાં માધ્યમથી અને ખાસ તો સામનામાં છપાયેલા લેખનો હવાલો આપીને સાંસદે કરેલા નિવેદનને બેજવાબદાર ગણાવ્યું હતું. નોટીસ પ્રમાણે આ નિવેદનથી સુશાંતસિંહ રાજપૂતનો પરિવાર, મિત્રો અને તેના કરોડો ફેન્સની ભાવનાને દુ:ખ પહોચ્યું છે. વગર કોઈ સાચી જાણકારી મેળવ્યા વગર સાંસદે બેજવાબદારી ભરેલું નિવેદન આપીને તપાસને પ્રભાવિત કરવાની કોશિષ કરી છે.
આ મુદ્દે સંજય રાઉતે કહ્યું કે મે જાણકારીનાં આધારે જ નિવેદન આપ્યું હતું અને તેના પર હું માફી નહી માગું, મને ખબર નથી કે આ મુદ્દે કોઈ નોટીસ મોકલવામાં આવી છે કે કેમ. અગર આ મુદ્દે અમારા તરફથી કોઈ ભૂલ થઈ હશે તો તેના પર માફી માગવા માટે વિચાર કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સુશાંતનાં તેના પિતા સાથે સંબંધો સારા નોહતા, તેના પિતાએ બીજા લગ્ન કરી લેતા તે ખુશ નોહતા.
સાંસદનાં આ નિવેદનને નોટીસમાં ખોટુ ગણાવવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે તે સ્ટાર હોવાની સાતે પિતૃભક્ત પણ હતો, તે પિતાને દેવતુલ્ય માનતો હતો. રાઉતનાં નિવેદનને લઈતેના 72 વર્ષનાં પિતાને ઉંડો આઘાત લાગ્યો છે સાથે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code
Published On - 12:41 pm, Wed, 12 August 20