AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રિમ કોર્ટે કહ્યું રેશન કાર્ડ અથવા ઓળખ કાર્ડ વિના પણ દરેક રાજ્યમાં મજૂરોને મળે અનાજ

સુપ્રિમ કોર્ટે કહ્યું કે ખાતરી કરવી જોઈએ કે રેશન કાર્ડ ( Ration Card)અથવા ઓળખકાર્ડના અભાવને કારણે મજૂરો કોઈ પણ રાજ્યમાં અનાજથી વંચિત ન રહે.

સુપ્રિમ કોર્ટે કહ્યું રેશન કાર્ડ અથવા ઓળખ કાર્ડ વિના પણ દરેક રાજ્યમાં મજૂરોને મળે અનાજ
સુપ્રિમ કોર્ટે કહ્યું રેશન કાર્ડ અથવા ઓળખ કાર્ડ વિના પણ દરેક રાજ્યમાં મજૂરને મળે અનાજ
| Updated on: Jun 11, 2021 | 9:37 PM
Share

સુપ્રીમ કોર્ટે(Supreme Court)આજે કોરોના અને લોકડાઉનને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પરપ્રાંતિય કામદારોને રાહતની બાબતે વિગતવાર સુનાવણી કરી હતી. જેમાં કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો કે કેન્દ્ર દ્વારા નવેમ્બર સુધીમાં 80 કરોડ લોકોને અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે ખાતરી કરવી જોઈએ કે રેશન કાર્ડ ( Ration Card)અથવા ઓળખકાર્ડના અભાવને કારણે મજૂરો કોઈ પણ રાજ્યમાં અનાજથી વંચિત ન રહે.

નવેમ્બર સુધીમાં 80 કરોડ લોકોને અનાજ મળશે

સુપ્રીમ કોર્ટે(Supreme Court)અગાઉની સુનાવણીમાં કોર્ટે રાજ્યોને સ્થળાંતર કરતા કામદારોને અનાજ અને ખોરાક પૂરો પાડવા જણાવ્યું હતું. લોકોને ભોજન આપવા માટે સામુદાયિક રસોડું શરૂ કરવું જોઈએ. આજની સુનાવણીમાં સૌ પ્રથમ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર વતી સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ નવેમ્બર સુધીમાં 80 કરોડ લોકોને અનાજ મળશે. આ વાત પર જસ્ટીસ અશોક ભૂષણ અને એમ.આર.શાહની ખંડપીઠે બે બાબતો પર સ્પષ્ટતા માંગી હતી. તેમણે પૂછ્યું કે

* ‘વન નેશન- વન રેશનકાર્ડ’ યોજના હેઠળ રાજ્યો કોઈ પણ રાજ્યના રેશનકાર્ડ( Ration Card)પર સ્થળાંતર કરતા મજૂરોને અનાજ આપતા હોય છે? * જેની પાસે રેશનકાર્ડ( Ration Card)અથવા ઓળખકાર્ડ નથી તેમને રેશન આપવાની શું વ્યવસ્થા છે?

સોલિસિટર જનરલે કહ્યું કે કેન્દ્ર રાજ્યોને અનાજ આપવા માટે તૈયાર છે. પરંતુ ખુદ રાજ્યને આવા જરૂરીયાતમંદ લોકોને ઓળખવા પડશે જેમની પાસે રેશનકાર્ડ નથી. કોર્ટે કહ્યું, “ઘણા રાજ્યોમાં કાર્ડ વિના અનાજ આપવાની કોઈ યોજના નથી. આ મામલો સંપૂર્ણ રીતે રાજ્યો પર છોડી શકાય નહીં.”

મહેતાએ જણાવ્યું હતું કે જાહેર વિતરણ વિભાગના સચિવ રાજ્ય અધિકારીઓ સાથે વાત કર્યા પછી સમાધાન શોધવાનો પ્રયાસ કરશે. પંજાબ, મહારાષ્ટ્ર સહિતના ઘણા રાજ્યોએ કોર્ટને જાણ કરી કે તેઓ ‘વન નેશન, વન રેશનકાર્ડ’ ને અનુસરે છે. પરંતુ પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કહ્યું કે રેશનકાર્ડને આધાર સાથે જોડવામાં સમસ્યા હોવાને કારણે તે હજી સુધી તેમની જગ્યાએ લાગુ કરવામાં આવી નથી. આ અંગે નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું કે કારણ ગમે તે હોઈ શકે. તમારે આ યોજના તાત્કાલિક લાગુ કરવી જોઈએ. તેમાં વિલંબ થવો જોઈએ નહીં.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">