AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઝાકિયા જાફરી દ્વારા નરેન્દ્ર મોદી અને અન્યોને SIT દ્વારા આપવામાં આવેલી ક્લિન ચીટ વિરૂદ્ધની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અન્ય કેટલાકને વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

ઝાકિયા જાફરી દ્વારા નરેન્દ્ર મોદી અને અન્યોને SIT દ્વારા આપવામાં આવેલી ક્લિન ચીટ વિરૂદ્ધની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
Supreme Court rejects Zakia Jafri's plea against clean chit given to Narendra Modi and others by SIT
| Updated on: Jun 24, 2022 | 11:11 AM
Share

સુપ્રીમ કોર્ટે 2002માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અન્ય કેટલાકને વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારતી પૂર્વ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરી (Zakia Jafri) દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે.  2002 (2002 Gujarat Riots)માં ગુજરાતમાં રમખાણોની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી. તેમના અહેવાલ સામે કોંગ્રેસના દિવંગત પૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી છે. આનાથી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટી રાહત મળી છે. 

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. આ પહેલા કોર્ટે લાંબી સુનાવણી બાદ 9 ડિસેમ્બર 2021ના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ગોધરા હત્યાકાંડ પછી કોમી રમખાણો ભડકાવવાના અહેવાલમાં SITએ કોઈ મોટું કાવતરું હોવાનો ઈન્કાર કર્યો હતો. 2002માં અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં હિંસા દરમિયાન અહેસાન જાફરીની હત્યા થઈ હતી. 

અગાઉની સુનાવણીમાં સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી SIT વતી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચને કહ્યું કે જાફરીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કોર્ટે સમર્થન આપવું જોઈએ.

ટ્રેનમાં આગ લાગ્યા બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા

2012 માં, 8 ફેબ્રુઆરીના રોજ, SIT એ તેનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો અને તારણ કાઢ્યું કે મોદી અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સહિત 63 અન્ય લોકો વિરુદ્ધ “કોઈ કાર્યવાહી કરવા યોગ્ય પુરાવા” મળ્યા નથી. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લગાવ્યાના એક દિવસ પછી, ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરી પણ હિંસામાં માર્યા ગયેલા 68 લોકો સાથે જોડાયા હતા. તે જ સમયે, સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં આગ લાગવાથી 59 લોકોના મોત થયા હતા અને તે પછી ગુજરાતમાં તોફાનો થયા હતા.

અંત વગરની કાર્યવાહી ચાલી શકે છે

રોહતગીએ કહ્યું કે જો નીચલી કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયને સમર્થન નહીં મળે, તો તે અનંત કવાયત હશે, જે સામાજિક કારણોસર ચાલી શકે છે. ઝાકિયા જાફરી તરફથી હાજર રહેલા એડવોકેટ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે SITએ તપાસ કરી નથી પરંતુ સાથીદાર તરીકે કામ કર્યું છે અને તેની તપાસ કાવતરાખોરોને બચાવવામાં ખામીઓથી ભરેલી છે.

Follow Us
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">