કોરોનાકાળ અને લોકડાઉનના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા પ્રવાસી મજુરો માટે સુપ્રીમ કોર્ટે રાહત ભરેલો નિર્ણય લીધો છે. મંગળવારે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, One Nation, One Ration Card (વન નેશન વન રાશન કાર્ડ) યોજના 31 જુલાઇ સુધી ફરજિયાત રુપથી લાગુ કરે.
સાથે જ પ્રવાસી મજૂરો માટે કોમ્યુનિટી કિચન ચલાવે. સુપ્રીમ કોર્ટે અસંગઠિત મજૂરોનું રજિસ્ટ્રેશન કરવા માટે પણ કહ્યુ છે. આ માટે એક પોર્ટલ બનાવવામાં આવી રહ્યુ છે. આદેશ પ્રમાણે કેન્દ્ર સરકાર રાશન આપે અને રાજ્ય સરકાર તે પ્રવાસી મજુરને આપે.
સુપ્રીમ કોર્ટના આદેશના મુ્દ્દા
રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યો છે તમામ પ્રતિષ્ઠાન ઠેકેદારોનું આંતરરાજ્ય પ્રવાસી કામગાર અંતર્ગત રજિસ્ટ્રેશન કરવામાં આવે. આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે એક્ટિવિસ્ટ અંજલી ભારદ્વાજ, હર્ષ મંદર અને જગદીપની પીટિશન પર સુનાવણી બાદ 11 જૂને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.
આ પીટિશનમાં કહેવામાં આવ્યુ હતુ કે કોરોના અને લોકડાઉનના કારણે પ્રવાસી મજૂરો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આ કારણે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નિર્દેશ આપવા જોઇએ જેથી મજૂરોને રાહત મળે.
ગયા વર્ષે લોકડાઉન બાદ સુપ્રીમ કોર્ટે મજૂરોના દુ:ખોનુ સંજ્ઞાન લીધુ હતું અને રાજ્યોના પ્રવાસી મજૂરો પાસેથી ભાડુ ન લેવુ, ટ્રેન અને બસમાં રહે ત્યાં સુધી મફત ભોજન આપવુ જેવા અનેક નિર્દેશ કર્યા હતા. આ સિવાય સુપ્રીમ કોર્ટે રાજ્યોને અનેક નિર્દેશ આપ્યા હતા, તેનાથી મજૂરોને રાહત મળી હતી. આ મામલે એકટિવિસ્ટ અંજલિ ભારદ્વાજ, હર્ષ મંદર અને જગદીપ છોકરે જનહિત અરજી કરી હતી.