અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે કેસને 9 મહિનાની અંદર જ ખતમ કરીને ફેંસલો આપવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા કેસમાં ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી વગેરે પર કેસ ચાલી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: જો તમારા ઘરમાં સ્માર્ટ ટીવી હોય તો તમારે ચેતી જવાની જરુર છે, જુઓ VIDEO
સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરી રહેલાં જજના નિવૃતિનો સમય હોવાના લીધે નિયમો શું કહે છે તેમ પૂછ્યું હતું. યુપીએ જજના નિવૃત્તિના સમયગાળામાં વધારો કરવાની વાત કરી હતી. આમ કોર્ટે કહ્યું કે જેટલો પણ સમય લાગે હવે એ જજ આ કેસની સુનાવણી કરશે. અડવાણી, જોશી અને ભારતી સહિત 13 આરોપીની વિરુદ્ધમાં ગુનાહિત ષડયંત્રનો જે આરોપ હતો તે હટાવી લેવાયો હતો. જે બાદ હાજી મહબૂબ અને સીબીઆઈએ ફરીથી આ નેતાઓ પરના આરોપોને હટાવવાને લઈને દાદ માગી છે. આ કેસની સુનાવણી સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ લખનઉમાં થઈ રહી છે. જેમાં જજ એસ કે યાદવ નિવૃત્ત થવાના હતા અને હવે તેમનો સમયગાળો વધારી દેવાયો છે.
આ મામલે ટ્રાયલ પણ 19 જૂલાઈના રોજ પૂરી થઈ જાય છે. જે મધ્યસ્થતા પેનલ બનાવવામાં આવી છે તેમાં કોર્ટ સમાધાનનો રસ્તો અયોધ્યા મામલે નીકળે તેવું ઈચ્છી રહી છે. આ મામલે રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે. જે બાબતે સુનાવણી 25 જૂલાઈના રોજ કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]