CWC Meeting: ચાર કલાક સુધી ચાલેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય, સોનિયા ગાંધી જ રહેશે અધ્યક્ષ

|

Mar 13, 2022 | 9:54 PM

સોનિયા ગાંધીની રજુઆત બાદ કોંગ્રેસના નેતાઓ ગુલામ નબી આઝાદ, અજય માકન, આનંદ શર્માનું વલણ નરમ પડ્યું છે અને કહ્યું છે કે અમારી સલાહ પાર્ટીના ભલા માટે છે, અમને વિરોધી કે દુશ્મન ન માનવા જોઈએ.

CWC Meeting: ચાર કલાક સુધી ચાલેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય, સોનિયા ગાંધી જ રહેશે અધ્યક્ષ
Sonia Gandhi - File Photo

Follow us on

તાજેતરમાં પાંચ રાજ્યોમાં મળેલી હાર બાદ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) રવિવારે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની (Congress Working Committee) બેઠકમાં રાજીનામું આપવાની રજૂઆત કરી હતી, જેને બધાએ નકારી કાઢી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સીડબલ્યુસી બેઠકમાં તમામ નેતાઓની વાત સાંભળી અને કહ્યું કે તેઓ પાર્ટીને મજબૂત કરવા માટે તમામ જરૂરી ફેરફારો કરવા તૈયાર છે. તે જ સમયે, સોનિયા ગાંધીની ઑફર પછી, કોંગ્રેસના નેતાઓ ગુલામ નબી આઝાદ, અજય માકન, આનંદ શર્માનું વલણ નરમ પડ્યું છે અને કહ્યું છે કે અમારી સલાહ પાર્ટીના ભલા માટે છે, અમને વિરોધી કે દુશ્મન માનવામાં ન આવે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની આ બેઠક લગભગ ચાર કલાક સુધી ચાલી હતી.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે સીડબલ્યુસીએ સર્વસંમતિથી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખ સંગઠનને ફરીથી મજબૂત કરવા તાત્કાલિક ધોરણે સુધારાત્મક પગલાં અમલમાં મૂકશે તેમ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં ચિંતન શિબિર બોલાવશે. તે જ સમયે, સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સીડબલ્યુસીમાં સૂચન કર્યું કે કોંગ્રેસ તેમના રાજ્યમાં ‘ચિંતન શિબિર’નું આયોજન કરે.

કોંગ્રેસે કહ્યું કે પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી સહિત આગામી ચૂંટણીઓમાં ચૂંટણી પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સીડબલ્યુસીએ સર્વસંમતિથી સોનિયા ગાંધીના નેતૃત્વમાં પોતાના વિશ્વાસની પુષ્ટિ કરી અને તેમને સામેથી નેતૃત્વ કરવા વિનંતી કરી. સીડબલ્યુસીએ વિધાનસભા ચૂંટણીમાં શું ખોટું થયું તેની ચર્ચા કરી. બેઠકમાં ગુલામ નબી આઝાદ, દિગ્વિજય સિંહ સહિતના વરિષ્ઠ નેતાઓએ પણ પોતાના સૂચનો આપ્યા હતા.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

પાર્ટીએ રાજ્યવાર રણનીતિ બનાવવી પડશેઃ રાહુલ ગાંધી

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટીએ રાજ્યવાર રણનીતિ બનાવવી પડશે, ક્યાંક એકલા તો, ક્યાંક ગઠબંધન પણ કરવું પડશે. સાથે જ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમે જાણતા હતા કે પરિણામ અમારા પક્ષમાં નહીં આવે, પરંતુ સખત મહેનત કરી અને લડ્યા. બેઠક દરમિયાન પાંચ ચૂંટણી હારેલા રાજ્યોના પ્રભારીઓએ અહેવાલો આપ્યા હતા. આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હાજર રહ્યા ન હતા. વરિષ્ઠ નેતા એકે એન્ટની કોવિડ 19થી સંક્રમિત હોવાને કારણે બેઠકમાં હાજર રહી શક્યા ન હતા.

આ પણ વાંચો :  CM Yogi Delhi Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે યોગી આદિત્યનાથે કરી મુલાકાત, યુપીમાં નવી સરકારની રચનાની ફોર્મ્યુલા પર કરી ચર્ચા

Next Article