જમ્મૂ-કાશ્મીરમાં કફર્યુ મામલે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અરૂણ મિશ્રાની બેન્ચ આજે સુનાવણી કરશે

|

Aug 13, 2019 | 3:46 AM

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી રાજ્યની હાલની સ્થિતીને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. આ અરજી કોંગ્રેસ કાર્યકર્તા તેહસીન પૂનાવાલાએ દાખલ કરી હતી. તેની પર જસ્ટિસ અરૂણ મિશ્રા, એમ.આર.શાહ અને અજય રસ્તોગીની બેન્ચ સુનાવણી કરશે. એક પત્રકારે અરજી દાખલ કરી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતુ કે કલમ 370ને […]

જમ્મૂ-કાશ્મીરમાં કફર્યુ મામલે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અરૂણ મિશ્રાની બેન્ચ આજે સુનાવણી કરશે

Follow us on

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી રાજ્યની હાલની સ્થિતીને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. આ અરજી કોંગ્રેસ કાર્યકર્તા તેહસીન પૂનાવાલાએ દાખલ કરી હતી. તેની પર જસ્ટિસ અરૂણ મિશ્રા, એમ.આર.શાહ અને અજય રસ્તોગીની બેન્ચ સુનાવણી કરશે.

એક પત્રકારે અરજી દાખલ કરી હતી અને તેમાં કહેવામાં આવ્યું હતુ કે કલમ 370ને નાબૂદ કર્યા પછી રાજ્યમાં પત્રકારો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા હતા. જેને તાત્કાલિક હટાવી લેવા જોઈએ. પૂનાવાલાએ કહ્યું કે તે કલમ 370 પર કોઈ વિચાર નથી રાખતા પણ રાજ્યમાંથી કફર્યુ, ફોન લાઈન્સ, ઈન્ટરનેટ અને ન્યૂઝ ચેનલ પરથી પ્રતિબંધ હટાવી લેવા જોઈએ.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પૂનાવાલાએ માગ કરી છે કે કોર્ટ પૂર્વ મુખ્યમંત્રી અમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી જેવા નેતાઓને મુક્ત કરવા આદેશ જાહેર કરે. જમીનની વાસ્તવિકતાને તપાસવા માટે ન્યાયિક આયોગની રચના કરે. કેન્દ્ર સરકારે બંધારણની કલમ 19 અને 21ના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કર્યુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓને બળજબરીથી કફર્યુનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. જેના કારણે લોકોની ધરપક્ડ થઈ રહી છે. ફોનલાઈન કાપી નાખવામાં આવી છે. ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. શિક્ષણ સંસ્થાઓ, બૅન્ક, સરકારી કાર્યાલય, દુકાનો અને અન્ય સંસ્થાઓ વગેરે પર તાળા વાગેલા છે. સામાન્ય લોકો મૂળભૂત સેવાઓથી વંચિત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

પૂનાવાલાએ કહ્યું હતું કે સમગ્ર રાજ્ય સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલુ છે. લોકોમાં ડરનો માહોલ છે. જ્યારે જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાને લઈને કોઈ પણ સંગઠન દ્વારા કોઈ પ્રદર્શન થઈ રહ્યું નથી અને તે કોઈ નિયમનું પણ ઉલ્લંઘન કરી રહ્યા નથી. અલગાવવાદી નેતાઓની ધરપક્ડ કરવી યોગ્ય હોય શકે છે પણ મુખ્ય નેતાઓને કસ્ટડીમાં રાખવા જરૂર પ્રશ્નો ઉભા કરે છે કારણ કે તેમને કાશ્મીરને ભારતની સાથે એક કરવા માટે પોતાનું લોહી આપ્યુ હતુ.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article