સંસદમાં PM મોદીનું આ એક નિવેદન જેના કારણે સોમવારે 10 મે, 2024ના રોજ શેરબજારમાં જોવા મળી શકે ફેરફાર ! જુઓ વીડિયો

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએ સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. સંસદના સેન્ટ્રલ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ રહી છે, જેમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજનાથ સિંહે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. લોકસભા ચૂંટણીમાં એનડીએને 293 જ્યારે ઈન્ડિયા એલાયન્સને 234 સીટો મળી છે. બહુમતીનો આંકડો 272 છે. આવી સ્થિતિમાં એનડીએના માર્ગમાં કોઈ અવરોધ નથી. ત્યારે આજે સંસદમાં મળેલી સભામાં PM મોદીએ શેર બજારને લઈ મહત્વની વાત કરી હતી.

સંસદમાં PM મોદીનું આ એક નિવેદન જેના કારણે સોમવારે 10 મે, 2024ના રોજ શેરબજારમાં જોવા મળી શકે ફેરફાર ! જુઓ વીડિયો
| Edited By: | Updated on: Jun 07, 2024 | 7:33 PM

શરૂઆત થી અનેક નેતાઓએ ભાષણ આપ્યું બાદમાં PM મોદીએ કહ્યું કે NDAના લોકોમાં એક સામાન્ય વાત છે. તે છે – સુશાસન. તેમને જ્યારે પણ તક મળી ત્યારે તેમણે દરેકને સુશાસન આપ્યું છે. NDA કહેતાં જ સુશાસનનો પર્યાય બની જાય છે. આપણા બધાના કાર્યકાળ દરમિયાન, હું ગુજરાતમાં રહ્યો છું, કે ચંદ્રાબાબુએ આંધ્રમાં સેવા કરી છે કે નીતિશજીએ બિહારમાં સેવા કરી છે.

PM મોદી એ કહ્યું કે, ગરીબોનું કલ્યાણ આપણા બધાના કેન્દ્રમાં રહ્યું છે. દેશે NDAના ગરીબ કલ્યાણ અને સુશાસનના 10 વર્ષ માત્ર જોયા જ નહીં પરંતુ જીવ્યા પણ છે. સરકાર શા માટે છે, કોના માટે છે, કેવી રીતે કામ કરે છે, તેનો જનતાએ પહેલીવાર અનુભવ કર્યો છે. નહીં તો જનતા અને સરકાર વચ્ચે જે અંતર હતું તે અમે પુરું કર્યું છે.

આ વચ્ચે તેમણે શેર બજારને લઈ મહત્વની વાત કરી છે . તેમણે શેર બજાર માટે જણાવ્યું કે, NDA લગભગ ત્રણ દાયકાથી અસ્તિત્વમાં છે. આઝાદીના 75 વર્ષમાં ત્રણ દાયકા સુધી એનડીએ હોવું એ સામાન્ય ઘટના નથી. વિવિધતા વચ્ચે ત્રણ દાયકાની આ સફર મોટી તાકાતનો સંદેશ આપે છે.

તેમણે કહ્યું આજે હું ગર્વ સાથે કહું છું કે એક સમયે સંગઠનના કાર્યકર તરીકે હું આ જોડાણનો ભાગ હતો અને આજે ગૃહમાં બેસીને તમારી સાથે કામ કરીને ત્રીસ વર્ષથી તેની સાથે જોડાયેલો છું. હું કહી શકું છું કે આ સૌથી સફળ જોડાણ છે. પાંચ વર્ષનો કાર્યકાળ છે, પરંતુ આ જોડાણે ત્રીસ વર્ષમાં પાંચ વર્ષની ત્રણ ટર્મ પૂરી કરી છે અને ગઠબંધન ચોથી ટર્મમાં પ્રવેશી રહ્યું છે.

આ વચ્ચે મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં કરેલા કામો બાદ પણ તે રોકાવાનું નથી તેવી વાત નરેન્દ્ર મોદીએ કરી હતી. તેમણે કહ્યું કે, સરકારના આ 10 વર્ષ ફક્ત ટ્રેલર હતું. જોકે વિકાસ હજી પણ અટકવાનો નથી. આ મારુ ચુંટણીનું વાક્ય નથી મારુ કમિટમેન્ટ છે. દેશના વિકાસ માટે વદડાપ્રધાને કહ્યું આપણે વધુ તેજી, વધુ વિકાસ સાથે અને વધુ ઝડપી ગતિથી વિકાસ કરવાનો છે. તેવું કહ્યું હતું. PM મોદીના આ નિવેદનની અસર સોમવારે શું શેર બજાર પર પડશે ખરી તેણે લઈને પણ ચર્ચા ઉઠી છે. PM મોદીનું આ નિવેદન દેશની આર્થિક ગતિને પણ પાયો આપે તેવું હતું. એટલે એક્સપર્ટનું માનવું છે કે આગામી સમયમાં આ નિવેદન સોમવારે શેરબજાર પર અસર કરશે કે કેમ તેને લઈને પ્રશ્નાર્થ છે.

 

Published On - 2:21 pm, Fri, 7 June 24