કેરળનું સબરીમાલા મંદિર દિવાળી પછી ખૂલે તેવી પ્રબળ શક્તાઓ વર્તાઈ રહી છે.16મી નવેમ્બરથી જો આ મંદિર ખૂલશે તો સરકારી ગાઈડલાઈનનું સૌથી કડક પાલન આ મંદિરમાં જોવા મળશે. મહત્વનું છે કે મંદિર સમિતિએ કેરળ સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે. દર્શન પહેલા 14 દિવસ અને દર્શન પછી 10 દિવસ ભક્તોને ક્વૉરન્ટાઈન રહેવા મંદિર પરિસરે સૂચન કર્યું છે. પ્રથમ પ્રયાસમાં 5 હજાર ભક્તોને મંદિરમાં પ્રવેશ મળી શકે છે. 20 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધુની ઉમરના લોકોને મંદિરમાં પ્રવેશ નહી મળી શકે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનો આ મંદિર માટે ખાસ માનવામાં આવે છે. દર વર્ષે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો