Russia Ukraine War: બનારસમાં પીએમ મોદીએ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી, તેમની સ્થિતિ વિશે કરી પૂછપરછ

|

Mar 03, 2022 | 7:17 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરુવારે વારાણસીમાં યુક્રેનથી (Ukraine) ભારત પરત આવેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ વિદ્યાર્થીઓએ તેમના અનુભવો તેમની સાથે શેર કર્યા હતા.

Russia Ukraine War: બનારસમાં પીએમ મોદીએ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી, તેમની સ્થિતિ વિશે કરી પૂછપરછ
PM Narendra Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરુવારે વારાણસીમાં યુક્રેનથી (Ukraine) ભારત પરત આવેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ વિદ્યાર્થીઓએ તેમના અનુભવો તેમની સાથે શેર કર્યા હતા. વિદ્યાર્થીઓ વારાણસી તેમજ ઉત્તર પ્રદેશના અન્ય ભાગોના હતા. ભારત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સતત એરલિફ્ટ કરી રહ્યું છે અને તેમને તેમના વતન પરત લાવી રહ્યું છે. એડવાઈઝરી આવ્યા બાદથી કુલ 17,000 ભારતીય નાગરિકોએ યુક્રેન છોડ્યું છે અને યુક્રેનમાં ફસાયેલા બાકીના વિદ્યાર્થીઓને બહાર કાઢવાની સુવિધા માટે ઓપરેશન ગંગા હેઠળ ફ્લાઈટ્સ વધારવામાં આવી છે. યુક્રેનના પશ્ચિમી પડોશીઓ જેમ કે રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડ દ્વારા ભારત તેના નાગરિકોને વિશેષ વિમાનો દ્વારા બહાર કાઢી રહ્યું છે.

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ મંગળવારે જણાવ્યું હતું કે લગભગ 8,000 ભારતીયો, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે, યુક્રેનમાં ફસાયેલા છે. ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ચાર કેન્દ્રીય મંત્રીઓ યુક્રેનના પશ્ચિમી પડોશી દેશોમાં ગયા છે. હરદીપ સિંહ પુરી હંગેરી, જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા, કિરણ રિજિજુ સ્લોવાકિયા અને વી.કે. સિંઘ પોલેન્ડમાં છે.

દરમિયાન, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે તેમને ત્યાં બંધક રાખવા અંગે અમારી પાસે કોઈ માહિતી નથી. ભારતીય નાગરિકોના સ્થળાંતર માટે અમને અનુકૂળ લાગતો રસ્તો અમે અપનાવીશું. યુક્રેન છોડ્યા પછી બહુ મુશ્કેલી નથી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં યુક્રેનના પડોશી દેશોમાંથી 7,400 થી વધુ ભારતીયોને વિશેષ ફ્લાઇટ્સ દ્વારા પરત લાવવામાં આવશે. ભારતીય કેરિયર્સ એર ઈન્ડિયા એક્સપ્રેસ, એર ઈન્ડિયા, સ્પાઈસ જેટ, ઈન્ડિગો, વિસ્તારા અને ગોફર્સ્ટ શુક્રવારે કુલ 17 ફ્લાઈટ્સ ઓપરેટ કરે તેવી અપેક્ષા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે શુક્રવારે 3,500 લોકોને અને શનિવારે 3,900થી વધુ લોકોને ભારત પાછા લાવવામાં આવશે.

રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું

સૂત્રોએ ગુરુવારે એએનઆઈને જણાવ્યું હતું કે સરકારે સ્થળાંતર મિશનની દેખરેખ માટે બે ડઝનથી વધુ પ્રધાનોને પણ જોડ્યા છે. 10 માર્ચ સુધી, ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે કુલ 80 ફ્લાઇટ્સ સેવામાં આવશે. આ ફ્લાઈટ્સ એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિગો, સ્પાઈસ જેટ, વિસ્તારા, ગો એર અને આઈએએફ એરક્રાફ્ટના કાફલાની છે. વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસોથી આ મુદ્દે મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા કરી રહ્યા છે.

આ પણ વાંચો : Corona Vaccine: કોવિડ-19 રસીનો બગાડ ન કરો, એક્સપાયરી રસીની અદલા-બદલી કરો, કેન્દ્રએ રાજ્યોને આપ્યો નિર્દેશ

આ પણ વાંચો : UP Election: વારાણસીમાં મમતા બેનર્જીએ કહ્યું- હું મરવા તૈયાર છું, હું ડરવાની નથી, ભાજપની હાર નિશ્ચિત છે

Next Article