નહેરો અને નદીઓના પાણીમાં કોરોના ફેલાવાની વાત કેટલી સાચી? શું આ સત્ય છે કે માત્ર એક અફવા છે?

|

May 08, 2021 | 9:37 AM

પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. વિજયરાઘવને કહ્યું કે પાણીમાં કોરોના વાયરસના વાયરસ ફેલાતા નથી. તેથી સંક્રમણને કારણે નહેરો, નદીઓને પર જોખમ નથી. અને ત્યાં પાણી પીવામાં કોઈ તકલીફ નથી.

નહેરો અને નદીઓના પાણીમાં કોરોના ફેલાવાની વાત કેટલી સાચી? શું આ સત્ય છે કે માત્ર એક અફવા છે?
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

કોરોનાના કેસો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. એક વર્ષ પહેલા લોકડાઉનની સ્થિતિમાં પણ કોરોનાનો ભય ખુબ વધુ હતો. કોરોના ભારતમાં ભયજનક બન્યો ત્યારની કોરોનાને લઈને અલગ અલગ અટકળો ચાલતી રહે છે. સોશિયલ મીડિયામાં પણ અનેક સૂચનાઓ અને ફેક મેસેજ પણ વાયરલ થતા રહે છે. એમાંથી પાણીમાં કોરોનાના ફેલાવા વિશે પણ ઘણા મેસેજ જોવા મળે છે. એક અહેવાલ અનુસાર તાજેતરમાં યમુનાના પાણીને લઈને અફવા ચાલી હતી. જેમાં યમુનામાં કેટલીક લાશ મળતા એવી વાત ઉડી હતી કે યમુનાના પાણીમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. ચાલો જાણીએ શું છે સત્ય.

શું પાણીમાં ફેલાય છે કોરોના?

કોરોના વાયરસ અંગે સોશિયલ મીડિયા પર અફવાઓ ફરતી રહે છે કે નહેરો, નદીઓથી ચેપ લાગવાનો ભય હોઈ શકે છે. જ્યારે કેન્દ્ર સરકારના નિષ્ણાતોએ આ વાતનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે. પ્વૈરધાન વૈજ્જ્ઞાનિક સલાહકાર પ્રો. વિજયરાઘવને કહ્યું કે પાણીમાં કોરોના વાયરસના વાયરસ ફેલાતા નથી. તેથી સંક્રમણના કારણે નહેરો, નદીઓને જોખમ નથી. ત્યાં પાણી પીવામાં કોઈ તકલીફ નથી. જો કે સંક્રમણથી બચવું પણ એટલું જ જરૂરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

યમુનામાં વાયરસ ફેલાવાની અફવા

શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે યમુનામાં કેટલીક લાશોને જોઇને અફવા ઉડી રહી છે કે પાણીમાં વાયરસ ફેલાઈ ગયો છે. પ્રો. વિજયરાઘવને આ વાતનો જવાબ આપતા કહ્યું કે વાયરસને પાણીમાં ફેલાવાની તક મળતી નથી, પરંતુ કોરોના વાયરસ અંગેના તાજેતરના અધ્યયનો સૂચવે છે કે કોરોના વાયરસ ગટરમાં પણ હાજર હોઈ શકે છે. તેથી સાવધાની રાખવી જરૂરી છે.

કોરોનાને લઈને અવાર નવાર આવી અફવાઓ ઉડતી રહે છે. જેના પર લોકો આસાનીથી વિશ્વાસ મૂકી દેતા હોય છે અને ગભરાઈ જતા હોય છે.

 

આ પણ વાંચો: Bhavnagar: ડોક્ટરો પર થઈ રહેલા હુમલાથી કંટાળી, સર ટી હોસ્પિટલનાં ડોકટરો ઉતર્યા હડતાળ પર

આ પણ વાંચો: Rajkot Corona Breaking: રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગનાં શ્વાસને ઓક્સિજન મળ્યો

Next Article