AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઝેરીલી દારૂ પીધા બાદ બિહારમાં મોત પર RJD નેતાનું અક્કલનું પ્રદર્શન, ઈમ્યુનિટી વધારશો તો ઝેરીલી દારૂથી મોત નહી થાય

બિહારના છપરામાં નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે. ઘણા લોકોએ તેમની આંખોની રોશની ગુમાવી છે. તે જ સમયે, આરજેડી મંત્રી સમીર મહાસેઠના વાહિયાત નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તેમનું માનવું છે કે ઝેરી દારૂ પીધા પછી જો તમારે મૃત્યુથી બચવું હોય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી. મંત્રી નકલી દારૂના કારણે થયેલા મોત […]

ઝેરીલી દારૂ પીધા બાદ બિહારમાં મોત પર RJD નેતાનું અક્કલનું પ્રદર્શન, ઈમ્યુનિટી વધારશો તો ઝેરીલી દારૂથી મોત નહી થાય
RJD leader's controversial Remark on death in Bihar after drinking poisoned liquor
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2022 | 9:57 AM
Share

બિહારના છપરામાં નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે. ઘણા લોકોએ તેમની આંખોની રોશની ગુમાવી છે. તે જ સમયે, આરજેડી મંત્રી સમીર મહાસેઠના વાહિયાત નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તેમનું માનવું છે કે ઝેરી દારૂ પીધા પછી જો તમારે મૃત્યુથી બચવું હોય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી. મંત્રી નકલી દારૂના કારણે થયેલા મોત અંગે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. મંત્રીએ કહ્યું કે રમો અને કૂદો અને શક્તિ વધારો તેનાથી ઝેરી દારૂ પીવાથી મોત નહી થાય.

તમને જણાવી દઈએ કે આ મુદ્દે ભાજપ નીતીશ સરકાર પર સતત હુમલો કરી રહી છે.બિહાર વિધાનસભામાં આને લઈને ભારે હોબાળો થયો હતો.જ્યારે ભાજપે આ મુદ્દે નીતિશને સવાલ કર્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા. ભાજપ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તમે શરાબી છો, જ્યારે બીજેપી સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે નીતીશ જીનો સમય વીતી ગયો છે, તેમની યાદ રાખવાની શક્તિ પણ ગઈ છે તેઓ દરેક વાત પર ગુસ્સે થઈ રહ્યા છે.

સાથે જ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે નીતિશ કુમારનું આ વર્તન 10 વર્ષ પહેલા નહોતું. એવું લાગે છે કે તે નિરાશ છે. રાજ્યમાં નકલી દારૂના કારણે દરરોજ મોત થઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે બિહારમાં દરેક જગ્યાએ દારૂ મળે છે. તમને જણાવી દઈએ કે આ ઘટનાને લઈને બીજેપી ધારાસભ્યોએ બિહાર વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના નેતાઓએ છાપરામાં થયેલા મોત માટે પોલીસ પ્રશાસનને જવાબદાર ઠેરવ્યું છે. તેમનું કહેવું છે કે ગેરકાયદેસર દારૂના વેપારીઓની મિલીભગતને કારણે બિહારમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે.

બિહાર વિધાનસભામાં બીજા દિવસની શરૂઆતમાં જ્યારે ભાજપે દારૂના કારણે મોતનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે નીતિશ કુમાર ગુસ્સે થઈ ગયા. અને ભાજપના સભ્યો પર આરોપ લગાવ્યો કે તમે દારૂ વેચો છો. જે બાદ બીજેપી ધારાસભ્યો પણ ગુસ્સે થઈ ગયા અને માફીની માંગ કરવા લાગ્યા. બિહાર વિધાનસભામાં વાતાવરણ એટલું ગરમાઈ ગયું કે સીએમ નીતીશ કુમારે તો બીજેપીના સભ્યોને નશામાં કહ્યા. તમને જણાવી દઈએ કે છપરામાં નકલી દારૂના કારણે થયેલા મોતને જોતા વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાએ રાજ્ય સરકારના દારૂ પર પ્રતિબંધ પર સવાલ ઉઠાવ્યા હતા.

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
g clip-path="url(#clip0_868_265)">