VIDEO: મુંબઈમાં મોતની ઈમારત, 7 લોકના મોતની સાથે અનેક લોકો કાટમાળ હેઠળ દબાયા

|

Jul 16, 2019 | 2:12 PM

મુંબઈમાં જર્જરિત ઈમારત ફરી એકવાર મોતનું તેડું લઈને આવી. ડોંગરી વિસ્તારમાં અબ્દુલ હમીન શાહ દરગાહ પાછળ આવેલી કેસરબાઈ ઈમારત ધરાશાયી થઈ છે. ઈમારતનો અડઘો હિસ્સો ધરાશાયી થઈ ગયો જેમાં 7 લોકોના મોત નીપજ્યા. જ્યારે એક બાળક સહિત 5 લોકોને બચાવી લેવાયા છે. જો કે હજુ પણ અનેક લોકો ઈમારતના કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં […]

VIDEO: મુંબઈમાં મોતની ઈમારત, 7 લોકના મોતની સાથે અનેક લોકો કાટમાળ હેઠળ દબાયા

Follow us on

મુંબઈમાં જર્જરિત ઈમારત ફરી એકવાર મોતનું તેડું લઈને આવી. ડોંગરી વિસ્તારમાં અબ્દુલ હમીન શાહ દરગાહ પાછળ આવેલી કેસરબાઈ ઈમારત ધરાશાયી થઈ છે. ઈમારતનો અડઘો હિસ્સો ધરાશાયી થઈ ગયો જેમાં 7 લોકોના મોત નીપજ્યા. જ્યારે એક બાળક સહિત 5 લોકોને બચાવી લેવાયા છે. જો કે હજુ પણ અનેક લોકો ઈમારતના કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચોઃ કાંકરીયા રાઈડ તૂટવામાં 15 વર્ષીય તીર્થ ભાવસારના ડાબા પગને કાપવો પડ્યો અને જમણા પગમાં ફ્રેકચર

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુંબઈ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આજે બપોરે 11.48 વાગે ડોંગરીની ટંડેલ ગલીમાં કેશરબાઈ નામની બિલ્ડિંગનો અડધો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ખૂબ જૂની બિલ્ડિંગ હતી. પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે આ બિલ્ડિંગ અંદાજે 80 વર્ષ જૂની હતી. આ બિલ્ડિંગમાં 15 પરિવાર રહે છે અને જ્યારે આ બિલ્ડિંગ ધરાશાયી થયું ત્યારે તેમાં અંદાજે 40-50 લોકો હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડ, NDRF અને સ્થાનિક પોલીસની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે. ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા છે અને પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે. એનડીઆરએફના જણાવ્યા પ્રમાણે સાંકડી ગલી હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. જેસીબી જેવા મશીન પણ આ ગલીમાં જઈ શકતા નથી. તેથી લોકોએ માનવસાંકળ બનાવીને રાહત કામગીરી શરૂ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article