Republic Day 2022: આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ અડધો કલાક મોડી શરૂ થશે, કામદારો અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે હશે ખાસ વ્યવસ્થા

|

Jan 18, 2022 | 4:52 PM

મળતી માહિતી મુજબ આ વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી અડધો કલાક મોડી શરૂ થશે. દર વર્ષે સવારે 10 વાગ્યે શરૂ થતી ગણતંત્ર દિવસની પરેડ આ વર્ષે સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે.

Republic Day 2022: આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ અડધો કલાક મોડી શરૂ થશે, કામદારો અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે હશે ખાસ વ્યવસ્થા
Republic Day Parade - File Photo

Follow us on

આ વર્ષે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની (Republic Day Program) શરૂઆતના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી અડધો કલાક મોડી શરૂ થશે. દર વર્ષે સવારે 10 વાગ્યે શરૂ થતી ગણતંત્ર દિવસની પરેડ આ વર્ષે સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે. સમયમાં આ ફેરફાર શા માટે કરવામાં આવ્યો છે તેનું કારણ પણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાય પાસ્ટ દેખાતું નહોતું, જેના કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. તે જ સમયે, સમારોહમાં ઓટો ડ્રાઇવરો, મજૂરો અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે બેઠકો અનામત રાખવામાં આવી છે. અગાઉ આ લોકો રાજપથ પરથી પરેડ જોઈ શકતા ન હતા. પરંતુ આ વર્ષે તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર રાજપથની બંને બાજુ 10 મોટી એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી રહી છે જેથી રાજપથ પર દૂર બેઠેલા લોકો જેઓ મુખ્ય કાર્યક્રમ યોગ્ય રીતે જોઈ શક્યા ન હોય તેઓ પણ કોઈપણ સમસ્યા વિના પરેડ જોઈ શકે. આ આમંત્રણમાં અશ્વગંધા, એલોવેરા જેવા ઔષધીય છોડના બીજ પણ આપવામાં આવશે, જેથી લોકો આમંત્રણને ફેંકવાને બદલે તેમના ઘરે લઈ જાય અને તેને વાવે.

1000થી વધુ ડ્રોન ખાસ શો કરશે

સ્થળ પર કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન અને દરેક પ્રવેશ-બહાર ગેટ પાસે મેડિકલ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે 1000 થી વધુ ડ્રોન બીટીંગ રીટ્રીટ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર પોતાનો શો રજૂ કરશે. હજારો ડ્રોન દ્વારા પ્રદર્શન કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. અગાઉ માત્ર ચીન, રશિયા અને અમેરિકા પાસે જ એસી ટેક્નોલોજી હતી. આ સિસ્ટમ IIT દિલ્હી દ્વારા તૈયાર કરવામાં આવી છે. નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક પર પ્રોજેક્શન મેપિંગ દ્વારા આઝાદીના 75 વર્ષને સમર્પિત શો કરવામાં આવશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

23 જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ

સરકારે નેતાજીના જન્મદિવસ 23 જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત સાંજે વડાપ્રધાન ઈન્ડિયા ગેટ પર આપત્તિ વ્યવસ્થાપનમાં ઉત્તમ કામગીરી કરનારા લોકોને સન્માનિત કરશે. સેન્ટ્રલ વિસ્ટાનો રાજપથ ગણતંત્ર દિવસની પરેડ માટે તૈયાર છે.

ગુપ્તચર એજન્સીઓને પ્રજાસત્તાક દિવસ પર સંભવિત આતંકી ષડયંત્ર અંગે એલર્ટ મળ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોના જીવ જોખમમાં હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો અનુસાર ગુપ્તચર માહિતીના નવ પાનાને પીએમ મોદી અને ભારતના 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપનાર હસ્તીઓ માટે ખતરો ગણાવ્યો છે.

પાંચ મધ્ય એશિયાઈ દેશો- કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના નેતાઓને ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધમાં કહેવામાં આવ્યું છે કે આ ખતરો પાકિસ્તાન/અફઘાનિસ્તાન બહાર સ્થિત જૂથો તરફથી છે.

 

આ પણ વાંચો: Train Cancelled: Indian Railwaysએ રદ કરી 385 જેટલી ટ્રેન, આ રીતે ચેક કરો લિસ્ટ

આ પણ વાંચો: ભગવંત માન પંજાબમાં AAPના મુખ્ય પ્રધાનપદનો ચહેરો હશે, અરવિંદ કેજરીવાલે લોકોના સૂચનો પછી કરી જાહેરાત

Next Article