ભંગાર વાહનો માટે નવો નિયમ: 14 દિવસમાં કરી લો આ કામ, નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં

|

Aug 15, 2019 | 12:29 PM

ઘણાં બધા વાહનો ભંગાર થઈ જાય છે અને બાદમાં તેને વેચી દેવાઈ છે. સરકારના એક નવા નિયમ પ્રમાણે જો આવા વાહનોની આરસી જમા નહીં કરાવવામાં આવે તો મોટું નુકસાન થઈ શકે છે. જો વાહન દૂર્ઘટનામાં ભંગાર બની ગયું હોય અને તેનો વિમા માટે અરજી કરેલી હોય તો ખાસ આ કામ કરી લેવું જોઈએ. જો આમ […]

ભંગાર વાહનો માટે નવો નિયમ:  14 દિવસમાં કરી લો આ કામ, નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં

Follow us on

ઘણાં બધા વાહનો ભંગાર થઈ જાય છે અને બાદમાં તેને વેચી દેવાઈ છે. સરકારના એક નવા નિયમ પ્રમાણે જો આવા વાહનોની આરસી જમા નહીં કરાવવામાં આવે તો મોટું નુકસાન થઈ શકે છે. જો વાહન દૂર્ઘટનામાં ભંગાર બની ગયું હોય અને તેનો વિમા માટે અરજી કરેલી હોય તો ખાસ આ કામ કરી લેવું જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો વિમા કંપનીઓ કલેમ મંજૂર કરવાનો ઈનકાર કરી શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   વિરામ બાદ વરસ્યો મેહુલિયો! બનાસકાંઠામાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો

ઘણાં વાહનોના એવી રીતે અકસ્માત થાય છે કે તેનો ઉપયોગ ફરીથી કરી શકાતો નથી અને ઘણાં વાહનો એમ જ પડ્યાં ભંગાર બની જાય છે. સરકારે આવા વાહનો માટે એક ગાઈડલાઈન ઈશ્યુ કરી છે. કબાડ-ભંગાર થઈ ગયેલા વાહનોની આરસી રદ કરાવવાની જવાબદારી માલિકની રહેશે અને ત્યારબાદ જ તે વાહનને લઈને કોઈ વિમાની રકમ મળી શકશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઈરડા દ્વારા આ ગાઈડલાઈન ઉમેરવામાં આવી છે. ઘણાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ભંગારના વાહનોને ફરીથી મરમ્મત કે તેના એન્જિનનો ઉપયોગ ગુનાહિત પ્રવૃતિમાં કરવામાં આવે છે. આમ માલિકે જો આરસી રદ કરાવેલી હશે તો તે આવી કાનૂની ઝંઝટમાંથી પણ બચી શકશે. જો આરસી રદ ન કરાવવામાં આવે તો વિમા કંપની જે તે વાહનનો વિમો પણ રદ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દૂર્ઘટનના 14 દિવસની અંદરમાં જ્યાં વાહનનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હોય ત્યાં જ આરસી બુક રદ કરાવવાની રહેશે. જેમાં માલિકે આરસી ઓરિજનલ લઈને જવાનું રહેશે. જો આમ નહીં કરવામાં આવે તો તે વાહનનો વિમો વિમા કંપની રદ કરી શકે છે. આમ માલિકને બંને બાજુ નુકસાન થઈ શકે છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:28 pm, Thu, 15 August 19

Next Article