હૈદરાબાદ: રામાનુજ સહસ્રાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે આધ્યાત્મિકતામાં લીન થયા ભક્તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીનું કરશે અનાવરણ

|

Feb 04, 2022 | 10:49 PM

સંત રામાનુજાચાર્યની (Saint Ramanujacharya) 1000મી જન્મજયંતિની યાદમાં શ્રી રામાનુજ સહસ્રાબ્દીની (Sri Ramanuja Sahasrabdi) ઉજવણી હૈદરાબાદના મુચિન્તલમાં ભવ્ય રીતે કરવામાં આવી રહી છે.

હૈદરાબાદ: રામાનુજ સહસ્રાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે આધ્યાત્મિકતામાં લીન થયા ભક્તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીનું કરશે અનાવરણ
Ramanuja Sahasrabdi Celebrations

Follow us on

સંત રામાનુજાચાર્યની (Saint Ramanujacharya) 1000મી જન્મજયંતિની યાદમાં શ્રી રામાનુજ સહસ્રાબ્દીની (Sri Ramanuja Sahasrabdi) ઉજવણી હૈદરાબાદના મુચિન્તલમાં ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. અષ્ટાક્ષરી મંત્રના જાપ સાથે શરૂ થયેલો આ ઉત્સવ 14 ફેબ્રુઆરી સુધી 5000 થી વધુ રૂત્વિકોની હાજરીમાં ચાલશે. સમગ્ર શહેરમાંથી લોકો આધ્યાત્મિકતામાં લીન થવા માટે રામનગરમ સ્થળ પર પહોંચ્યા હતા. 1.5 લાખ લિટર શુદ્ધ ગાયના ઘીનો ઉપયોગ કરીને શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ચિન્ના જીયર સ્વામીએ કહ્યું, “આ યજ્ઞ કોવિડ-19ની અસરને ઘટાડવા અને નફરત, અસમાનતા જેવા અન્ય વાયરસથી મુક્ત કરવાનો છે.” ચોથા દિવસે, અનુસ્થાનમ મંત્રનો જાપ કરવામાં આવશે, જેનો હેતુ આબોહવા પ્રદૂષણને રોકવા અને સમાજના કલ્યાણમાં મદદ કરવાનો છે.

તેલંગાણાના સીએમ કેસીઆર તેમની પત્ની શોભા સાથે સ્થળની મુલાકાત લીધી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ચિન્ના જીયર સ્વામીના મુચિન્તલ આશ્રમમાં રામાનુજનની મૂર્તિ ટૂંક સમયમાં રાજ્યનું એક મુખ્ય પ્રવાસન સ્થળ બની જશે. સંત શ્રી રામાનુજે લગભગ 1,000 વર્ષ પહેલા બધાને સમાનતા, આદર અને શાંતિનો ઉપદેશ આપ્યો હતો. આશ્રમની મુલાકાત લીધા બાદ તેમણે કહ્યું કે જીયર સ્વામીના ભારતમાં અને વિશ્વભરમાં શિષ્યો છે.

PM મોદી આવતીકાલે રામાનુજાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 5 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં રામાનુજાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. આ માટે તેઓ શનિવારે હૈદરાબાદ જવા રવાના થશે અને બપોરે 2.45 વાગ્યે પાટનચેરુ સ્થિત ઇન્ટરનેશનલ કોર્પ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી એરિડ ટ્રોપિક્સ (ICRISAT) કેમ્પસની મુલાકાત લેશે. આ પછી સાંજે 5 વાગ્યે, તેઓ દેશને સમાનતાની પ્રતિમાને અર્પણ કરશે. કેસીઆરે મુખ્ય સચિવ સોમેશ કુમારને વડાપ્રધાનની હૈદરાબાદ અને તેમના આશ્રમની મુલાકાત માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીની ઉંચાઈ 216 ફૂટ

સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીની ઉંચાઈ 216 ફૂટ છે. તે 11મી સદીના સંત શ્રી રામાનુજાચાર્યની યાદમાં બનાવવામાં આવ્યું છે, જેમણે આસ્થા, જાતિ સહિત જીવનના તમામ પાસાઓમાં સમાનતાના વિચારને પ્રોત્સાહન આપ્યું હતું. વિશ્વની બીજી સૌથી ઊંચી પ્રતિમા 1800 ટનથી વધુ પંચ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસતનો સમાવેશ થાય છે.

ત્રિદંડી શ્રી ચિન્ના જીયર સ્વામી દ્વારા મૂર્તિ અને સમગ્ર મંદિર પરિસરની કલ્પના કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન શ્રી રામાનુજાચાર્યની જીવન યાત્રા અને શિક્ષણ પર 3D પ્રેઝન્ટેશન મેપિંગ પ્રદર્શિત કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી 108 દિવ્ય દેશમની પણ મુલાકાત લેશે જે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીની આસપાસ છે.

 

આ પણ વાંચો : The statue of Equality : કેવી રીતે આવ્યો આ ભવ્ય મૂર્તિ બનાવવાનો વિચાર ? શું છે મૂર્તિ સાથે 9ના આંકનો સંયોગ ?

આ પણ વાંચો : Statue Of Equality: PM મોદી 5 ફેબ્રુઆરીએ સંત રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું કરશે અનાવરણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Next Article