Rajasthan : મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા સવાઈ માનસિંહ હોસ્પિટલમાં કરાયા દાખલ

|

Aug 27, 2021 | 1:04 PM

મુખ્યમંત્રી અશોક ગેહલોતને છાતીમાં દુખાવો થતા જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

Rajasthan : મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી, છાતીમાં દુખાવો થતા સવાઈ માનસિંહ હોસ્પિટલમાં કરાયા દાખલ
CM Ashok Gehlot (File Photo)

Follow us on

Rajasthan : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી છે. તેમને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ( Sawai Mansingh Hospital)દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં તીવ્ર દુખાવો થતા તેમને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. તેમણે  ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

અશોક ગેહલોતે  ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની (Ashok gehlot) તબિયત અચાનક બગડી છે. તેમને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં તીવ્ર દુખાવા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

મુખ્યમંત્રી ગેહલોતે (Ashok gehlot) ટ્વિટ કર્યું, “હું કોવિડ પછીની અસરને કારણે ગઈકાલથી બીમાર છું અને મારી છાતીમાં તીવ્ર પીડા થઈ રહી છે.તેથી સવાઈ માનસિંહ હોસ્પિટલમાં મારી એન્જીયોપ્લાસ્ટી (Angioplasty) કરવામાં આવશે. વધુમાં જણાવ્યુ કે હું ખુશ છું કે મારી સારવાર એસએમએસ હોસ્પિટલમાં થઈ રહી છે, હું ઠીક છું અને જલ્દી પાછો આવીશ. તમારી બધી પ્રાર્થના અને આશીર્વાદ મારી સાથે છે.”

તમને જણાવી દઈએ કે, મુખ્ય પ્રધાન અશોક ગેહલોતનો 29 એપ્રિલના રોજ COVID-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેઓને આઈસોલેટ કરવામાં આવ્યા હતા.જો કે સ્વસ્થ થયા બાદ તે તેમના નિવાસ સ્થાનથી જ કામ કરતા હતા.

 

 

આ પણ વાંચો: corona update: કોરોનાએ ત્રીજી લહેર માટે વધારી ચિંતા, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 44658 કેસ નોંધાયા

આ પણ વાંચો: Maharashtra : CM ઠાકરેએ આજે ​​તમામ રાજકીય પક્ષોની બોલાવી બેઠક, જાણો બેઠકમાં ક્યા મુદ્દા પર કરવામાં આવશે ચર્ચા

Published On - 12:33 pm, Fri, 27 August 21

Next Article