AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબ અને હરિયાણામાં વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 55 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ

હરિયાણામાં મુશળધાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.અત્યાર સુધીમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તે જ સમયે, પંજાબમાં પૂરથી 25 હજાર લોકોને બચાવવામાં આવ્યા છે.

પંજાબ અને હરિયાણામાં વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 55 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ
Rains wreak havoc in Punjab
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 9:06 AM
Share

Rains Alert: આ વર્ષે ચોમાસામાં જે જોવા મળ્યું તે પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું. ઉત્તર ભારતમાં વરસાદની શરુઆત થતા જ વિનાશ સર્જી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક શહેરો પાણીમાં ડૂબ્યા છે. તેમાં પણ દિલ્હી, હિમાચલ અને પંજાબ તથા હરિયાણામાં વરસાદે તારાજી સર્જી દીધી છે. ત્યારે મુસળધાર વરસાદ તેમજ નદીઓના છોડાતા પાણીના કારણે અનેક સોસાયટીઓ ડૂબી ગઈ છે. લોકોએ ઘર છોડવું પડ્યું. અધિકારીઓએ જણાવ્યું છે કે પંજાબ અને હરિયાણામાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે. ઘણા વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

વરસાદી આફતે સર્જી તારાજી

હરિયાણામાં મુશળધાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.અત્યાર સુધીમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પંજાબમાં પૂરથી 25 હજાર લોકોને બચાવવામાં આવ્યા છે. મોટી વાત એ છે કે આ વિસ્તારોમાં પાણી જમા થવાને કારણે હવે બીમારીઓનો ખતરો વધી ગયો છે. જો કે, આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોને રોગથી બચાવવા માટે તેમની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અહીં લોકોને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચાલો જાણીએ વરસાદના કારણે કયા શહેરો પર વધુ અસર પડી છે.

બંને રાજ્યોમાં કેટલા જિલ્લા પ્રભાવિત થયા?

પંજાબ હરિયાણામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘર વખરી વરસાદમાં તણાય ગયા છે. ત્યારે અહીંના લોકોની સ્થિતિ વરસાદના કારણે દયનિય બની છે. જેના કારણે પંજાબ – 14 જિલ્લાઓ અને હરિયાણા – 13 જિલ્લાઓ પ્રભાવિત થયા છે. તેમજ બંને રાજ્યોમાં કેટલા મૃત્યુ પામ્યાના આકંડા જોઈએ તો પંજાબ – 29, અને હરિયાણા – 26 લોકોના મોત થયા છે.

પંજાબના આ જિલ્લા પ્રભાવિત?

  • પટિયાલા
  • મોગા
  • લુધિયાણા
  • મોહાલી
  • જલંધર
  • સંગરુર
  • પઠાણકોટ
  • તરન તારણ
  • ફિરોઝપુર
  • ફતેહગઢ સાહિબ
  • ફરીદકોટ
  • હોશિયારપુર
  • રૂપનગર
  • અને SBS

હરિયાણામાં કેટલા જિલ્લા પ્રભાવિત?

  • અંબાલા
  • ફતેહાબાદ
  • ફરીદાબાદ
  • પંચકુલા
  • ઝજ્જર
  • કુરુક્ષેત્ર
  • કરનાલ
  • કૈથલ
  • પાણીપત
  • સોનીપત
  • પલવલ
  • સિરસા
  • અને યમુનાનગર

હરિયાણાના ઘણા ગામોમાં હજુ પણ પૂરનો ખતરો

તમને જણાવી દઈએ કે, માનસા જિલ્લામાં ઘગ્ગર નદીમાં, બુધલાડાના ચાંદપુરા ડેમ પાસે અને સાર્દુલગઢ વિસ્તારના રોડકી ગામમાં બે જગ્યાએ પાળા તૂટ્યા છે, જેના પછી હરિયાણાની સરહદે આવેલા ઘણા ગામોમાં ફરી પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવે વહીવટીતંત્ર આ તિરાડો ભરવામાં વ્યસ્ત છે. પરંતુ પાણીના વહેણને કારણે કામમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. હવામાન વિભાગે આજે પણ બંને રાજ્યોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">