કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જમ્મૂ-કાશ્મીરની મુલાકાતે જશે. રાહુલ ગાંધીની સાથે વિપક્ષી પાર્ટીના 9 નેતા પણ તેમની સાથે જશે. જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી રાહુલ ગાંધી પ્રથમ વખત જમ્મૂ-કાશ્મીરના પ્રવાસે રવાના થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના શ્રીનગર જવાના સમાચારની સાથે જમ્મૂ-કાશ્મીરના તંત્રનું નિવેદન આવ્યું છે. જમ્મૂ-કાશ્મીર તંત્રએ કહ્યું વિપક્ષી નેતા કાશ્મીર ના આવે અને સહયોગ આપે. કાશ્મીર તંત્રએ ટ્વિટ કરીને કહ્યું કે નેતાઓના પ્રવાસથી અસુવિધા થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અમે લોકોને આતંકીઓથી બચાવવામાં લાગ્યા છે. તંત્રએ કહ્યું કે નેતાઓ એ પ્રતિબંધોનું પણ ઉલ્લંઘન કરી રહ્યા હશે જે અત્યારે પણ ઘણા ક્ષેત્રોમાં છે. વરિષ્ઠ નેતાઓનને સમજવુ જોઈએ કે શાંતિ, વ્યવસ્થા જાળવી રાખવા અને નુકસાનને રોકવા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.
[yop_poll id=”1″]