પુલવામા હુમલો મોટા આતંકી પ્લાનનો માત્ર નાનકડો ભાગ, જાણો શું છે તાલિબાન કનેક્શન ?

પુલવામા આતંકી હુમલો કાશ્મીર ખીણમાં 30 વર્ષના ખૂની ઇતિહાસની સૌથી મોટી ઘટના છે કે જેમાં આટલા મોટા પાયે જવાનોની ખુવારી થઈ છે. TV9 Gujarati   Web Stories View more ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો Home Loan લીધા વગર ખરીદી […]

પુલવામા હુમલો મોટા આતંકી પ્લાનનો માત્ર નાનકડો ભાગ, જાણો શું છે તાલિબાન કનેક્શન ?
Follow Us:
| Updated on: Feb 18, 2019 | 3:13 AM

પુલવામા આતંકી હુમલો કાશ્મીર ખીણમાં 30 વર્ષના ખૂની ઇતિહાસની સૌથી મોટી ઘટના છે કે જેમાં આટલા મોટા પાયે જવાનોની ખુવારી થઈ છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

પુલવામા હુમલા બાદ ભારત સરકાર, ભાજપ સહિત અનેક રાજકીય અને સંરક્ષણ નિષ્ણાતો એવું માની રહ્યા છે કે કાશ્મીર ખીણમાં આતંકીઓ વિરુદ્ધ ઑપરેશન ઑલઆઉટની સફળતાથી આતંકી સંગઠનોમાં હતાશાના પરિણામે આ હુમલો થયો છે, પરંતુ સામરિક બાબતોના નિષ્ણાત અજય સાહની આવું નથી માનતાં.

અજય સાહનીનું માનવું છે, ‘આ ઘટના પાકિસ્તાની સેના અને તેની ખુફિયા એજંસી ISIનો હોસલો બતાવે છે કે જેઓ ફફઘાનિસ્તાનમાં શાંતિવાર્તાથી આવનાર પરિણામોથી ઉત્સાહિત છે. પુલવામા ઍટૅકની જવાબદારી લેનાર જૈશ-એ-મોહમ્મદ એ જ આતંકી જૂથ છે કે જે કંધાર વિમાન અપહરણ કાંડ દરમિયાન છોડી મૂકાયેલા મસૂદ અઝહરે સ્થાપ્યુ હતું અને મસૂદ અઝહરને મુક્ત કરાવવાના કાવતરામાં અફઘાનિસ્તાનના તાલિબાની આતંકીઓએ આઈએસઆઈના સમર્થનથી જ વિમાન અપહરણ કાંડને અંજામ આપ્યુ હતું.’

પાકિસ્તાની સેના, આઈએસઆઈ અને તાલિબાનની તિકડી અફઘાનિસ્તાનમાં છેલ્લા 17 વર્ષતી ચાલતા યુદ્ધમાં પોતાને સફળ જોઈ રહ્યા છે, કારણ કે ભારતીય ઉપ મહાદ્વીપની જિયોપૉલિટિક્સ (ભૂ-રાજકીય)ને અસર કરનારી એક મોટી કવાયત પાકિસ્તાનમાં આજે થવા જઈ રહી છે કે જેમાં અફઘાનિસ્તાનના તાલિબાની જૂથના પ્રતિનિધિઓ પાકિસ્તાનમાં અમેરિકન અધિકારીઓ સાથે વાતચીત કરવાના છે.

અજય સાહનીનું કહેવું છે કે પુલવામા હુમલા બાદ સલામતી દળો અને સેના પર દબાણ વધશે. ચૂંટણીના વર્ષમાં સરકાર સામે પણ અનેક પડકારો છે. એવાાં મોટી રણનીતિક પ્રતિક્રિયા માટે સંરક્ષણ, આંતરિક સુરક્ષા અને ખુફિયા ક્ષેત્રે સતત રણનીતિક તૈયારની જરૂર છે.

[yop_poll id=1546]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">