Puducherry : શપથ લીધાના બે દિવસ બાદ જ CM એન.રંગાસ્વામી કોરોના સંક્રમિત થયા

Puducherry : CM એન.રંગાસ્વામીએ 7 એપ્રિલે મુખ્યપ્રધાનપદના શપથ લીધા હતા.

Puducherry : શપથ લીધાના બે દિવસ બાદ જ CM એન.રંગાસ્વામી કોરોના સંક્રમિત થયા
FILE PHOTO
Follow Us:
| Updated on: May 09, 2021 | 11:40 PM

Puducherry : પોંડીચેરીના નવા મુખ્યપ્રધાન એન.રંગાસ્વામી શપથ લીધાના બે દિવસ બાદ જ કોરોના સંક્રમિત થયા. 9 મે ના દિવસે રવિવારે તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પ્રદેશના આરોગ્ય વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન એન.રંગાસ્વામી રવિવારે ઈન્દિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું, જ્યાં તેઓ કોરોના પોઝીટીવ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. હતો. રંગાસ્વામીની તબિયત સ્થિર છે અને તેમને ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

7 એપ્રિલે મુખ્યપ્રધાનપદના શપથ લીધા Puducherry ના મુખ્યપ્રધાન એન.રંગાસ્વામીએ 7 એપ્રિલે મુખ્યપ્રધાનપદના શપથ લીધા હતા.તેઓ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં ભાજપના સભ્યો પણ શામેલ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડીચેરી દક્ષિણ ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ભાજપ સત્તામાં છે અને આ કેન્દ્ર શાસિત પ્રધાન મંત્રીમંડળમાં ભાગીદારી ભાજપના વિસ્તરણને દર્શાવે છે.

પોંડીચેરી કોરોનાના 1633 નવા કેસ બહાર આવ્યા છે 9 મે રવિવારે કેન્દ્રશાસિત પ્રદેશ Puducherry માં કોવિડ-19 રોગચાળાએ એક જ દિવસમાં મહત્તમ 26 દર્દીઓનો ભોગ લીધો, જ્યારે 1633 નવા કેસ પણ નોંધાયા હતા. પ્રદેશના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર નવા કેસો આવ્યા બાદ અહીં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 71709 થઈ છે. રાજ્યમાં વધુ 26 દર્દીઓનાં મોત સાથે કેન્દ્રશાસિત પ્રદેશમાં મૃત્યુનો આંક વધીને 965 થઈ ગયો છે. આ અગાઉ 8 મેના રોજ રાજ્યમાં કોરોનાને કારણે એક દિવસમાં મહત્તમ 19 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પોંડીચેરી ક્ષેત્રમાં 22 દર્દીઓનાં મોત નીપજ્યાં પ્રદેશના આરોગ્ય વિભાગ અનુસાર Puducherry ક્ષેત્રમાં 22 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયાં હતાં, જ્યારે કારાઇકલમાં બે,માહે અને યનામમાં એક-એક દર્દીનાં મોત થયાં હતાં. મૃતકોમાંથી 13 અન્ય રોગોથી પણ પીડિત હતા.

પ્રદેશના આરોગ્ય અને કુટુંબ પરિવાર કલ્યાણ સેવાના નિયામક એસ મોહનકુમારે એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે, 9 મે ના રોજ સવારે 10 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 9022 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 8.56 લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં હાલમાં 14034 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 1158 દર્દીઓ આ કોરોનાથી મુક્ત થઇ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 56710 દર્દીઓ સાજા થયા છે.

આ પણ વાંચો : શું ડબલ માસ્ક પહેરવાથી કોવિડ-19 ના સંક્રમણથી બચી શકાય છે? જાણો ડબલ માસ્કની વાસ્તવિકતા

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">