વડાપ્રધાન મોદીને પોતાનું નિવાસસ્થાન બદલવું પડશે, PM ચાલીને જશે ઓફિસ, જાણો કેમ

|

Jan 16, 2020 | 7:11 AM

વડાપ્રધાન મોદીનું નિવાસસ્થાન અને કાર્યાલય ઝડપી જ સાઉથ બ્લોકની પાસે શિફ્ટ કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આવુ કરવાની સંભાવના છે. આ પ્રિયોજનામાં ઉપ-રાષ્ટ્રપતિનું ઘર પણ નોર્થ બ્લોકમાં શિફ્ટ થઈ શકે છે. એક અહેવાલ મુજબ ઉપ-રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનું નિવાસસ્થાન નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકની નજીક શિફ્ટ કરવાની યોજના બનાવવામાં આવી […]

વડાપ્રધાન મોદીને પોતાનું નિવાસસ્થાન બદલવું પડશે, PM ચાલીને જશે ઓફિસ, જાણો કેમ

Follow us on

વડાપ્રધાન મોદીનું નિવાસસ્થાન અને કાર્યાલય ઝડપી જ સાઉથ બ્લોકની પાસે શિફ્ટ કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આવુ કરવાની સંભાવના છે. આ પ્રિયોજનામાં ઉપ-રાષ્ટ્રપતિનું ઘર પણ નોર્થ બ્લોકમાં શિફ્ટ થઈ શકે છે.

એક અહેવાલ મુજબ ઉપ-રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનું નિવાસસ્થાન નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકની નજીક શિફ્ટ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેનાથી ટ્રાફિક સિસ્ટમને સરળ બનાવવામાં પણ મદદ મળશે. કારણ કે VVIP મૂવમેન્ટના કારણે લુટિયન એરિયામાં લોકોને અસુવિધા થાય છે. સાથે જ સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ લુટિયંસ દિલ્હીમાં તોડી પાડવામાં આવતી ઈમારતોમાં ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન પણ સામેલ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાનનું નિવાસ અને કાર્યાલય ખુબ નજીક હશે, જેથી વડાપ્રધાન મોદી ઘરેથી ઓફિસ ચાલીને જઈ શકે. સાથે જ આ યોજનામાં નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકને બે સંગ્રહાલયોમાં બદલવાનો પણ પ્લાન છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શું છે સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ?

સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ કેન્દ્ર સરકારની એક મહત્વકાંક્ષી યોજના છે. તેમાં 3 કિલોમીટર લાંબો રાજપથ અને ત્રિકોણીય સંસદ ભવન બનાવવામાં આવશે. સાથે જ તમામ મંત્રાલયો માટે એક સામાન્ય કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ પણ થશે. યોજના મુજબ ત્રિકોણીય સંસદ ભવનનું નિર્માણ ઓગસ્ટ 2022 સુધી કરવાનું લક્ષ્ય છે. જ્યારે દેશ પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો હશે, ત્યારે 2024 સુધી નવા કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ કરવાની પણ સંભાવના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

યોજના મુજબ નવા સંસદ ભવનમાં 900થી 1200 સાંસદોને બેસવાની ક્ષમતા હશે. જેમાં સાંસદોના ટેબલ પર કોમ્પ્યુર સ્ક્રીન લાગેલી હશે. સાંસદો અને મંત્રીઓને બેસવા માટે આરામદાયક ઓફિસ સહિત ઘણી આધુનિક સુવિધાઓ પણ હશે. કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય મુજબ આ પ્રોજેક્ટમાં ઈન્ડિયા ગેટની પાસ એક વિશાળ પાર્ક પણ વિકસિત કરવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article