વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી કરી દેશના વિકાસ માટે અગત્યની વાત

|

Aug 15, 2019 | 8:05 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લાથી સૌથી મોટી જાહેરાત કરી હતી અને ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) ની નિમણૂક કરવાની ઘોષણા કરી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકથી ત્રણેય સૈન્ય વચ્ચે સંકલન મજબૂત બનશે અને સૈન્ય કામગીરીની સ્થિતિમાં વ્યૂહરચના ઘડવામાં સરળતા રહેશે. લાલ કિલ્લા પરથી બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુરક્ષા મોરચે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી કરી દેશના વિકાસ માટે અગત્યની વાત

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લાથી સૌથી મોટી જાહેરાત કરી હતી અને ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) ની નિમણૂક કરવાની ઘોષણા કરી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકથી ત્રણેય સૈન્ય વચ્ચે સંકલન મજબૂત બનશે અને સૈન્ય કામગીરીની સ્થિતિમાં વ્યૂહરચના ઘડવામાં સરળતા રહેશે. લાલ કિલ્લા પરથી બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુરક્ષા મોરચે નવા પડકારોને ધ્યાનમાં રાખીને દેશની ત્રણેય સૈન્ય વચ્ચે સંકલન કરવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સ્ટાફ (સીડીએસ) ની નવી પોસ્ટ બનાવવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

વડાપ્રધાને પોતાના ભાષણમાં વસ્તી વિસ્ફોટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે વસ્તી વિસ્ફોટ આવનારી પેઢીઓ માટે નવા પડકારો રજૂ કરે છે. મોદીએ કહ્યું કે જો જનતા શિક્ષિત અને સ્વસ્થ હશે તો દેશ પણ શિક્ષિત અને સ્વસ્થ બનશે. આપણા દેશમાં એક વર્ગ છે જે આને ખૂબ સારી રીતે સમજે છે. તેના ઘરે બાળકને જન્મ આપતા પહેલા તે વિચારે છે કે તેની સાથે અન્યાય ન થવો જોઈએ. શું હું તેની જરૂરિયાતો પૂરી કરી શકશે? શું હું તેના સપના પૂરા કરી શકશે? આનો વિચાર કરીને એક વર્ગ પરિવારને મર્યાદિત કરીને તેમના પરિવાર અને દેશના કલ્યાણમાં મોટો ફાળો આપી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણા દેશમાં ઘણાં સુંદર જોવાલાયક સ્થળો છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું હતું કે હું એવા લોકોને ઓળખું છું જેઓ વિદેશમાં રજાઓ માટે અથવા ફરવા જાય છે પરંતુ જ્યારે દેશ 2022 માં 75 મો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવશે ત્યારે દરેક કુટુંબ દેશમાં 15 પર્યટક સ્થળોની મુલાકાત લેશે, તેનાથી ઘરેલું પર્યટન વધશે. જે પર્યટક સ્થળોનો વિકાસ નથી થયો ત્યા પ્રવાસીઓમાં વધારો થતાં સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે. આનાથી પર્યટન ઉદ્યોગને વેગ મળશે અને લોકોને તેમનો દેશ અને સંસ્કૃતિ વિશે માહિતી મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article