International Women’s Day પર 29 મહિલાઓનું સન્માન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કર્યા

|

Mar 08, 2022 | 5:19 PM

જેમાં 2020 માટે 14 અને 2021 માટે 14 પુરસ્કારોનો સમાવેશ થાય છે. નારી શક્તિ પુરસ્કાર મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની પહેલ હેઠળ વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા નોંધપાત્ર યોગદાનને માન્યતા આપવા માટે આપવામાં આવે છે.

International Womens Day પર 29 મહિલાઓનું સન્માન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કર્યા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર એનાયત કર્યો

Follow us on

Nari Shakti Puraskar: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) નિમિત્તે 29 મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર એનાયત કર્યો. મહિલા સશક્તિકરણમાં સૌથી વધુ યોગદાન આપનાર 29 મહિલાઓને 2020 અને 2021 માટે નારી શક્તિ પુરસ્કાર (Nari Shakti Puruskar) આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આમાં 2020 માટે 15 અને 2021 માટે 14 એવોર્ડ સામેલ છે.

નારી શક્તિ પુરસ્કાર મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની પહેલ હેઠળ વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા નોંધપાત્ર યોગદાનને માન્યતા આપવા માટે આપવામાં આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

2020નો એવોર્ડ સમારોહ 2021માં કોરોના રોગચાળાને કારણે ઉદ્ભવતા સંજોગોને કારણે થઈ શક્યો ન હતો. વર્ષ 2020 માટે નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓમાં ઉદ્યોગસાહસિકતા, કૃષિ, નવીનતા, સામાજિક કાર્ય, કલા, હસ્તકલા, STEMM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, દવા અને ગણિત) અને વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2021માં મહિલાઓને મળ્યા હતા

વર્ષ 2021 માટે નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓમાં એવી મહિલાઓનો સમાવેશ થાય છે જેમણે ભાષાશાસ્ત્ર, ઉદ્યોગસાહસિકતા, કૃષિ, સામાજિક કાર્ય, કલા, હસ્તકલા, મર્ચન્ટ નેવી, STEMM, શિક્ષણ, સાહિત્ય, વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત મહિલાઓ સાથે મુલાકાત કરી હતી.

શા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે

મહિલાઓને સન્માન આપવા દર વર્ષે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓની સિદ્ધિઓ માટે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણી કરવાનો હેતુ તે મહિલાઓની સિદ્ધિઓ, તેમનો જુસ્સો, તેમની ઐતિહાસિક યાત્રાઓ અને તેમના જીવનને યાદ કરવાનો છે. દર વર્ષે મહિલા દિવસ કોઈને કોઈ થીમ પર આધારિત હોય છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 (IWD 2022)ની થીમ છે ‘જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો’ એટલે કે મજબૂત ભવિષ્ય માટે લિંગ સમાનતા જરૂરી છે.

આ પણ વાંચો : Uttar Pradesh: ચૂંટણી પરિણામ પહેલા અખિલેશ યાદવે ચૂંટણી પંચને લખ્યો પત્ર, જાણો શું છે મામલો

Next Article