Bheemla Nayak Controversy: CM જગન રેડ્ડી પર પ્રકાશ રાજ થયા ગુસ્સે, ટ્વીટ કરીને સરકાર પર સાધ્યું નિશાન

|

Mar 02, 2022 | 11:28 PM

પવન કલ્યાણની ફિલ્મ 'ભીમલા નાયક' (Bheemla Nayak)  વિરુદ્ધ સરકારે મનસ્વી વર્તન આપનાવ્યુ હતુ. જેનો વિરોધ વ્યક્ત કરતા પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર આંધ્ર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Bheemla Nayak Controversy: CM જગન રેડ્ડી પર પ્રકાશ રાજ થયા ગુસ્સે, ટ્વીટ કરીને સરકાર પર સાધ્યું નિશાન
Actor Prakash Raj (File Photo)

Follow us on

Bheemla Nayak Controversy:  અભિનેતા પ્રકાશ રાજ (Prakash Raj) માત્ર તેમના કામને કારણે જ નહીં, પરંતુ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માટે પણ ઘણા ચર્ચામાં રહે છે. ઘણી વખત તેઓ સોશિયલ મીડિયા (Social Media) પર રાજકારણીઓથી લઈને ઘણી મોટી હસ્તીઓ સાથે દલીલ કરતો જોવા મળે છે.

જ્યારે સિનેમામાં સંકટની વાત આવે છે, ત્યારે તેઓ કેવી રીતે ચૂપ રહી શકે? ફરી એકવાર આંધ્ર પ્રદેશ સરકાર (Andhra Pradesh Government) ટોલીવુડ અભિનેતાના નિશાના પર આવી છે. પવન કલ્યાણની ફિલ્મ ‘ભીમલા નાયક’ (Bheemla Nayak) વિરુદ્ધ સરકારે મનસ્વી વર્તન આપનાવ્યુ હતુ. જેનો વિરોધ વ્યક્ત કરતા પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર આંધ્ર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સરકારે ટિકિટના ભાવ સામે વાંધો ઉઠાવ્યો હતો

પવન કલ્યાણ અને રાણા દગ્ગુબાતી-સ્ટારર ભીમલા નાયકની ભવ્ય રજૂઆત પહેલા આંધ્ર પ્રદેશ સરકારે થિયેટર માલિકોને ટિકિટના ભાવ અંગેના નિયમોનું પાલન કરવાની ચેતવણી આપતા નોટિસ જાહેર કરી હતી. કોરોના બાદ ટિકિટના ભાવમાં વધારો થવાનો હતો, પરંતુ ભીમલા નાયકની ટિકિટ જૂના ભાવે વેચવામાં આવશે, જેનાથી થિયેટર માલિકો,ખરીદદારો અને વેપારીઓને ભારે નુકસાન થઈ શકે છે.

આવી સ્થિતિમાં પ્રકાશ રાજે ટ્વીટ કર્યું અને આંધ્રપ્રદેશ સરકારની મનસ્વીતા પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા.#GovtofAndhrapradesh કૃપા કરીને આ હુમલાઓ બંધ કરો.. સિનેમાને ખીલવા દો #JustAsking. તે જ સમયે, તેણે કહ્યું કે સરકાર ગમે તેટલી કોશિશ કરે, તે તેના હીરો માટે ચાહકોના પ્રેમને રોકી શકતી નથી.

 

સ્પેશિયલ સ્ક્રીનિંગ પર પ્રતિબંધ

રાજ્યમાં ટિકિટના દરને લગતા સરકારના આદેશ સામે કોર્ટના વિરોધ છતાં સરકારે તેની અવગણના કરી છે. બીજી તરફ સરકારના આદેશ બાદ થિયેટર માલિકો દ્વારા ઓછા ભાવને કારણે સ્પેશિયલ સ્ક્રીનિંગ પર રોક લગાવવામાં આવી છે. જોકે એ જોવાનું રહેશે કે આંધ્ર પ્રદેશ સરકાર પ્રકાશ રાજના ટ્વીટ પર કોઈ સ્ટેન્ડ લેશે કે કેમ?

 

આ પણ વાંચો : New Release Date : રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મની નવી તારીખ જાહેર, નિર્દેશક લવ રંજને આપી માહિતી

Next Article