AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMJJBY Insurance: આ યોજના હેઠળ COVID-19 કે અન્ય રીતે મૃત્યુ થયેલા વ્યક્તિના વારસદારને 2 લાખ રૂપિયા મળશે

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: તમારા પરીવારના સભ્ય કે કુટુંબીજનને COVID-19 ના કારણે ગુમાવ્યા છે, તો આ વીમા યોજના તમને 2 લાખ રૂપિયાની વીમા રકમ માટે પાત્ર બનાવી શકે છે.

PMJJBY Insurance: આ યોજના હેઠળ COVID-19 કે અન્ય રીતે મૃત્યુ થયેલા વ્યક્તિના વારસદારને 2 લાખ રૂપિયા મળશે
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana
| Updated on: May 26, 2021 | 1:17 PM
Share

વર્ષ 2015 માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) એ એક વર્ષની જીવન વીમા (Life Insurance) યોજના છે, જે કોઈ પણ કારણોસર મૃત્યુ માટે કવરેજ પ્રદાન કરે છે. તેથી જો તમે તમારા પરીવારના સભ્ય કે કુટુંબીજનને COVID-19 ના કારણે ગુમાવ્યા છે, તો આ વીમા યોજના તમને 2 લાખ રૂપિયાની વીમા રકમ માટે પાત્ર બનાવી શકે છે.

યોજનાનો હેતુ આર્થિક સુરક્ષાના અભાવ હેઠળ જીવન જીવતા મહત્તમ લોકોની સુરક્ષાનો છે.

પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના 1. આ યોજના એક વર્ષના જીવન વીમાની યોજના છે. જે દર વર્ષે રીન્યુ કરાવી શકાય છે. 2. આ યોજનાનો ઉદ્દેશ્ય એ એક પ્રકારની જીવન વીમા પોલીસી છે. જેમાં વીમા ધારકના કોઇ પણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર / પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે. 3. આ માટે દરેક ઉપભોક્તાએ રૂ. 330 જેટલું પ્રિમિયમ ભરવાનું રહેશે.

યોજના માટે યોગ્યતા બેંકમાં ખાતુ ધરાવતી હોય એવી 18 થી 50 વર્ષની વ્યક્તિ લાભ લઇ શકે છે. 55 વર્ષ પૂર્ણ કર્યા પહેલાં યોજનામાં જોડાયેલ લોકોને વાર્ષિક પ્રિમિયમ ભરવાના કારણે 55 વર્ષની ઉંમર સુધી વીમા રક્ષણ મળશે.

યોજનાના ફાયદા સભ્યનું કોઇ પણ કારણસર મૃત્યુ થાય તો તેના વારસદાર / પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે.

કાર્ય પધ્ધતિ ઉપરોક્ત યોજના નીચે રક્ષણના સમયગાળા માટે 1 લી જુનથી 31 મી મે માટે ગ્રાહકોએ નોંધણી તેમજ ખાતામાંથી આપોઆપ કપાત માટે સંમતિ દર વર્ષે 31 મી મે સુધીમાં આપવાની રહેશે. જે પહેલા વર્ષને લાગુ પડશે નહી.

અમલીકરણ જાહેર ક્ષેત્રની LIC અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક મારફતે યોજના અમલમાં મૂકવામાં આવી છે.

દાવાની સ્થિતિમાં વીમા ધારક વ્યક્તિના વારસદારએ સંબંધિત બેંક શાખાનો સંપર્ક કરવો પડશે, જ્યાં વીમોદાર વ્યક્તિનું બેંક ખાતું હતું. મૃત્યુનું પ્રમાણપત્ર અને દાવાનું ફોર્મ સબમિટ કરવું જરૂરી છે. દાવાની રકમ વારસદારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">