AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMJJBY Insurance: આ યોજના હેઠળ COVID-19 કે અન્ય રીતે મૃત્યુ થયેલા વ્યક્તિના વારસદારને 2 લાખ રૂપિયા મળશે

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: તમારા પરીવારના સભ્ય કે કુટુંબીજનને COVID-19 ના કારણે ગુમાવ્યા છે, તો આ વીમા યોજના તમને 2 લાખ રૂપિયાની વીમા રકમ માટે પાત્ર બનાવી શકે છે.

PMJJBY Insurance: આ યોજના હેઠળ COVID-19 કે અન્ય રીતે મૃત્યુ થયેલા વ્યક્તિના વારસદારને 2 લાખ રૂપિયા મળશે
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana
| Updated on: May 26, 2021 | 1:17 PM
Share

વર્ષ 2015 માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) એ એક વર્ષની જીવન વીમા (Life Insurance) યોજના છે, જે કોઈ પણ કારણોસર મૃત્યુ માટે કવરેજ પ્રદાન કરે છે. તેથી જો તમે તમારા પરીવારના સભ્ય કે કુટુંબીજનને COVID-19 ના કારણે ગુમાવ્યા છે, તો આ વીમા યોજના તમને 2 લાખ રૂપિયાની વીમા રકમ માટે પાત્ર બનાવી શકે છે.

યોજનાનો હેતુ આર્થિક સુરક્ષાના અભાવ હેઠળ જીવન જીવતા મહત્તમ લોકોની સુરક્ષાનો છે.

પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના 1. આ યોજના એક વર્ષના જીવન વીમાની યોજના છે. જે દર વર્ષે રીન્યુ કરાવી શકાય છે. 2. આ યોજનાનો ઉદ્દેશ્ય એ એક પ્રકારની જીવન વીમા પોલીસી છે. જેમાં વીમા ધારકના કોઇ પણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર / પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે. 3. આ માટે દરેક ઉપભોક્તાએ રૂ. 330 જેટલું પ્રિમિયમ ભરવાનું રહેશે.

યોજના માટે યોગ્યતા બેંકમાં ખાતુ ધરાવતી હોય એવી 18 થી 50 વર્ષની વ્યક્તિ લાભ લઇ શકે છે. 55 વર્ષ પૂર્ણ કર્યા પહેલાં યોજનામાં જોડાયેલ લોકોને વાર્ષિક પ્રિમિયમ ભરવાના કારણે 55 વર્ષની ઉંમર સુધી વીમા રક્ષણ મળશે.

યોજનાના ફાયદા સભ્યનું કોઇ પણ કારણસર મૃત્યુ થાય તો તેના વારસદાર / પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે.

કાર્ય પધ્ધતિ ઉપરોક્ત યોજના નીચે રક્ષણના સમયગાળા માટે 1 લી જુનથી 31 મી મે માટે ગ્રાહકોએ નોંધણી તેમજ ખાતામાંથી આપોઆપ કપાત માટે સંમતિ દર વર્ષે 31 મી મે સુધીમાં આપવાની રહેશે. જે પહેલા વર્ષને લાગુ પડશે નહી.

અમલીકરણ જાહેર ક્ષેત્રની LIC અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક મારફતે યોજના અમલમાં મૂકવામાં આવી છે.

દાવાની સ્થિતિમાં વીમા ધારક વ્યક્તિના વારસદારએ સંબંધિત બેંક શાખાનો સંપર્ક કરવો પડશે, જ્યાં વીમોદાર વ્યક્તિનું બેંક ખાતું હતું. મૃત્યુનું પ્રમાણપત્ર અને દાવાનું ફોર્મ સબમિટ કરવું જરૂરી છે. દાવાની રકમ વારસદારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">