Good Friday 2022 : ગુડ ફ્રાઈડેની સમગ્ર દેશમાં ઉજવણી, PM મોદીએ જીસસ ક્રાઈસ્ટના બલિદાનને યાદ કર્યું

|

Apr 15, 2022 | 11:00 AM

Good Friday Jesus Christ: ગુડ ફ્રાઈડે એ ખ્રિસ્તી ધર્મના લોકોનો મુખ્ય તહેવાર છે, આ દિવસ ઈસુ ખ્રિસ્તના બલિદાનના માનમાં ઉજવવામાં આવે છે.

Good Friday 2022 : ગુડ ફ્રાઈડેની સમગ્ર દેશમાં ઉજવણી, PM મોદીએ જીસસ ક્રાઈસ્ટના બલિદાનને યાદ કર્યું
Pm Modi (File Photo)

Follow us on

Good Friday Wishes : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તે ઈસુ ખ્રિસ્તને યાદ કર્યા. તેમણે તેમની હિંમત અને બલિદાનને આદર્શ ગણાવ્યા જે આજે પણ ઘણા લોકોને માર્ગદર્શન આપે છે. PM મોદીએ પોતાના ટ્વીટમાં(Tweet) લખ્યું, ‘આજે ગુડ ફ્રાઈડેના અવસર પર અમે ઈસુ ખ્રિસ્તના (Jesus Christ) સાહસ અને બલિદાનને યાદ કરીએ છીએ. તેમના સેવા અને ભાઈચારાના આદર્શો ઘણા લોકો માટે માર્ગદર્શક છે.

તમને જણાવી દઈએ કે, ગુડ ફ્રાઈડે એ ખ્રિસ્તી લોકોનો મુખ્ય તહેવાર છે, જે ઈસુ ખ્રિસ્તના બલિદાન અને દુઃખના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઈડે મનાવવાનું કારણ એ છે કે આ દિવસે જિસસ ક્રાઈસ્ટને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ એ ખૂબ જ પીડાદાયક અનુભવ

ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ એ ખૂબ જ પીડાદાયક અનુભવ હતો, જો કે લોકો તેનો આદર કરે છે. તેઓ માને છે કે ઈસુ ખ્રિસ્તે તેમના પાપો માટે છેલ્લું બલિદાન આપ્યું હતું. બાઇબલ અનુસાર ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા હતા. બાદમાં ક્રુસિફિકેશન દ્વારા તેને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. તેને કાંટાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને તેનો ક્રોસ એક ટેકરી પર લઈ જવાની ફરજ પાડવામાં આવી હતી. આ અંગેની પ્રતિકાત્મક તસવીરો પણ છે, જેને જોઈને જ જાણી શકાય છે કે તેની સાથે કેટલી ક્રૂરતા કરવામાં આવી હતી.

અન્ય નામોથી પણ બોલાવવામાં આવે છે

ગુડ ફ્રાઈડેને હોલી ફ્રાઈડે, ગ્રેટ ફ્રાઈડે અને બ્લેક ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. જ્યોર્જિયન અને જુલિયન કેલેન્ડરના આધારે દર વર્ષે આ દિવસ બદલાઈ શકે છે. ઇસુ ખ્રિસ્તને પણ ક્રુસિફિકેશન દ્વારા મરવા માટે છોડી દેવામાં આવ્યા હતા. તેમણે અને તેમના અનુયાયીઓ તેમના મૃત્યુના આગલા દિવસે તહેવારમાં ભાગ લીધો હતો. પછી તેણે ગેથસેમાનેના બગીચાની પણ મુલાકાત લીધી. તેણે તેના જીવનની અંતિમ ઘડીમાં પિતાને પ્રાર્થના કરી.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Amarnath Yatra 2022: જમ્મુ-કાશ્મીરના IGPનું મોટું નિવેદન, યાત્રા શરૂ થતા પહેલા જ મોટા ભાગના આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવશે, ત્રણ સ્તરની સુરક્ષા હશે

Next Article